Get The App

નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાંબામાંથી બનાવેલા પાવડરથી ડાયાબીટિસ ચેક કરી શકાશે

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને તાંબામાંથી બનાવેલા પાવડરથી ડાયાબીટિસ ચેક કરી શકાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના  કેમેસ્ટ્રી વિભાગના વિભાગના પ્રોફેસર સોનલ ઠાકોર અને તેમના પીએચડી સ્ટુડન્ટ શ્રધ્ધાંજલિ સામલે, ત્વરા કિકાણીએ  તાંબાના વાયરમાંથી એવો પાવડર બનાવ્યો છે જેનાથી ડાયાબિટીસ ચેક કરી શકાય છે.આ સંશોધનને ઈન્ટરનેશનલ કેમિકલ એન્જિનિયરિંગ જર્નલમાં પણ સ્થાન મળ્યું છે.

લેબોરેટરીમાં થતા ડાયાબિટીસના ટેસ્ટમાં પાવડરનો ઉપયોગ કરવાની પધ્ધતિ વધારે સરળ પૂરવાર થાય તેવી શક્યતા છે..ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડાયાબીટિસના દર્દીઓ માટે આ શોધ ફાયદાકારક બની શકે છે.સંશોધકોએ નાંખી દેવાયેલા ઈલેક્ટ્રિકલ  વાયરમાંથી તાંબુ અલગ તારવ્યું હતું અને તેને કોપર નેનો પાર્ટિકલ્સમાં ફેરવ્યું હતું.આ નેનો પાર્ટિકલ્સને ચિતોસન નામના કુદરતી પોલીમરની મદદથી સ્થિરતા આપવામાં આવી હતી અને મકાઈના સ્ટાર્ચમાંથી મળતા એક તત્વનો ઉપયોક કરીને નેનો પાર્ટિકલ્સને વધારે શક્તિશાળી બનાવાયા હતા.પ્રોફેસર સોનલ ઠાકોર કહે છે કે,  આ પ્રોડકટ પાવડર  સ્વરુપમાં છે.જે કુદરતી એન્ઝાઈમ( એક પ્રકારનું પ્રોટિન) તરીકે  કામ કરે છે અને તે લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણને પારખી લે છે.લોહીમાં રહેલો ગ્લુકોઝ હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉત્પન્ન કરે છે અને આ સંજોગોમાં એન્ઝાઈમનો રંગ ઘેરો વાદળી થાય છે.રંગની તિવ્રતા લોહીમાં રહેલા ગ્લુકોઝના પ્રમાણના આધારે બદલાય છે.

લોહીના નમૂના પર પાવડરનો અખતરો સફળ 

પ્રો.ઠાકોરનું કહેવું છે કે, પાવડરનો ઉપયોગ કરતા પહેલા લોહીમાંથી સીરમને અલગ તારવવું પડે છે અને પછી તેના પર પાવડરનો ઉપયોગ કરીને ગ્લુકોઝ લેવલ ચેક કરી શકાય છે.આમ તેની મર્યાદા એ છે કે, ગ્લુકોમીટરની જેમ તેનો ઘરે ઉપયોગ કરી શકાતો નથી પણ લેબોરેટરીમાં થતા ડાયાબીટિક  ટેસ્ટમાં આ પાવડર ઉપયોગી પૂરવાર થઈ શકે છે અને કદાચ તે ડાયાબિટીસ ટેસ્ટની કિંમત પણ ઘટાડી શકે છે.આ માટે પાવડર ચોંટાડીને બનાવાયેલી સ્ટ્રીપનો ઉપયોગ થઈ શકે છે.અમે લેબોરેટરીમાં ડાયાબીટિસના અને ડાયાબીટિસ ના હોય તેવા દર્દીઓના લોહીના નમૂના પર પાવડરનો સફળતાપૂર્વક અખતરો કર્યો છે.

પાવડરનો ઉપયોગ પરસેવા પર કરી ડાયાબીટિસ જાણવાનો પ્રયાસ

સંશોધકો હવે લોહીની સાથે સાથે પરસેવા પર પાવડરનો ઉપયોગ કરીને ડાયાબીટિસની જાણકારી મળી શકે તે માટેના અખતરા કરી રહ્યા છે.તેમનું કહેવું છે કે, લેબોરેટરીમાં અમે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર પરસેવામાં જે તત્વો રહેલા હોય છે તેના પર પાવડરનો ઉપયોગ  કર્યો  છે અને તેના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.જોકે   દર્દીના પરસેવાના સેમ્પલ પર પાવડરનો પ્રયોગ કરવાનો બાકી છે.