Gujarat

IPL ફાઇનલ: અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડબ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ

By GS TEAM
1 Jun 20262 mins read
TukuTouch Logo
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL-2026ની ફાઇનલ મેચને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓ પર મુસાફરોનો અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળ્યું હતું. ક્રિકેટપ્રેમીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મોડી રાત સુધી મેટ્રો સેવાઓ કાર્યરત રાખી હતી. પેસેન્જરોની ભારે ભીડ અને જરૂરિયાતને પૂરી કરવા માટે મેટ્રો ટ્રેનો છેક મોડી રાત્રે 2:19 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવી હતી. જેમાં સામાન્ય દિવસ કરતા 77 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. આમ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો હતો. જેને પગલે મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL ફાઇનલ: અમદાવાદ મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડબ્રેક વધારો, મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ

Metro Service For IPL 2026 Final: નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL-2026ની ફાઇનલ મેચને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓ પર મુસાફરોનો અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળ્યું હતું. ક્રિકેટપ્રેમીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મોડી રાત સુધી મેટ્રો સેવાઓ કાર્યરત રાખી હતી. પેસેન્જરોની ભારે ભીડ અને જરૂરિયાતને પૂરી કરવા માટે મેટ્રો ટ્રેનો છેક મોડી રાત્રે 2:19 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવી હતી. જેમાં સામાન્ય દિવસ કરતા 77 હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. આમ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના મુસાફરોની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો હતો. જેને પગલે મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ હતી.

સામાન્ય દિવસ કરતા 77 હજારથી વધુ મુસાફરોએ કરી મુસાફરી 

પ્રાપ્ત વિગતો અનુસાર, સામાન્ય રવિવાર એટલે કે તારીખ 24/05/2026ના રોજ મેટ્રોમાં કુલ 1,17,939 મુસાફરોએ યાત્રા કરી હતી. જેની સરખામણીએ ગત 31/05/2026ના રોજ IPL ફાઇનલના દિવસે આ સંખ્યામાં 77,929નો જંગી વધારો થતાં કુલ 1,95,868 યાત્રાઓએ મુસાફરી કરી હતી. આમ, સામાન્ય દિવસો કરતા પેસેન્જર જર્નીમાં સીધો 66 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

વધારાની 62 સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ

GMRC તંત્ર દ્વારા ભીડને નિયંત્રિત કરવા અને મેચના પેસેન્જરોને હાલાકી ન પડે તે માટે તેમના રોજિંદા સમયપત્રક ઉપરાંત કુલ 62 વધારાની મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. મેચને પગલે શરૂઆતમાં ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી દોડવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિકોની ભારે ભીડને જોતાં મેટ્રો સેવા રાત્રે 2:19 સુધી ચાલુ રાખવામાં આવી હતી.

કયા રૂટ પર ક્યારે ઉપડી છેલ્લી ટ્રેન?

- છેલ્લી ટ્રેન મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી (APMC) તરફ રાત્રિના 2:19 કલાકે ઉપડી હતી.

- પૂર્વ-પશ્ચિમ કોરિડોરની કનેક્ટિવિટી જળવાઈ રહે તે માટે ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેન રાત્રિના 2:45 કલાકે ઉપડી હતી.

- ગાંધીનગર તરફ જતા મુસાફરો માટે છેલ્લી ટ્રેન મોટેરા સ્ટેડિયમથી મધ્યરાત્રિએ 12:24 કલાકે રવાના થઈ હતી.