Get The App

જિલ્લાના રેશનકાર્ડ ધારકોએ 30 મી સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું રહેશે

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
જિલ્લાના રેશનકાર્ડ ધારકોએ 30 મી સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું રહેશે 1 - image


- 0 થી 5 વર્ષના બાળકો સિવાયના સભ્યો માટે ફરજીયાત

- એસએમએસ મારફત પણ લોકોને કરવામાં આવતી જાણ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ચાલી રહેલી ઈ-કેવાયસીની કામગીરી હજુ બાકી રહી છે. રેશનકાર્ડ ધારકોને ૩૦મી જૂન સુધીમાં પોતાનું અને સભ્યોનું ફરજીયાત ઈ-કેવાયસી કરાવી લેવા તાકીદ કરાઈ છે.

જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સરકાર તરફથી સસ્તા અનાજની દુકાનમાંથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રેશનકાર્ડમાં અનાજનો જથ્થો મેળવતા ૦થી ૫ વર્ષની વયના બાળકો સિવાયના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત હોય, ભાવનગર જિલ્લાના જે રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેમણે તા.૩૦ને સોમવાર સુધીમાં ફરજીયાત ઈ-કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીએ અનુરોધ કર્યો છે. વધુમાં રેશનકાર્ડ ધારકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર પણ બાકી રહેલા સભ્યોના ઈ-કેવાયસી માટેના એસએમએસ મોકલવામાં આવી રહ્યાનું તેમણે ઉમેર્યું હતું.

Tags :