Get The App

હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
હળવદમાં રામલલ્લા નગરચર્યાએ નિકળ્યાઃ 'જય શ્રી રામ'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું 1 - image

હળવદઃ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે હળવદમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. નગરના લક્ષ્મીનારાયણ મંદિરથી સાંજે ૪ વાગ્યે નવનિમત રથમાં બિરાજમાન થઈ રામલલ્લા નગરચર્યાએ નીકળ્યા હતા. આ શોભાયાત્રામાં શણગારેલા ઘોડા, આકર્ષક ફ્લોટ્સ અને ઢોલ-નગારાના તાલે હજારો ભક્તો જોડાયા હતા. ભગવાનના સ્વાગત માટે શહેરના રાજમાર્ગો રોશનીથી ઝળહળી ઉઠયા હતા અને ઠેર-ઠેર પુષ્પવૃષ્ટિ તથા સેવા કેમ્પો દ્વારા ઠંડા પીણાંની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધામક આસ્થાના આ પર્વે હળવદના વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠયું હતું. શોભાયાત્રાનું સમાપન વૈજનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને સાધુ-મહંતોના આશીર્વાદ સાથે થયું હતું. હળવદ પોલીસના ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.