Get The App

દુર્લભ પટેલ આપઘાત કેસમાં રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીને 4 દિવસના રિમાન્ડ

કઇ રીત અપનાવી કેવા પ્રકારની દુષ્પ્રેરણા અપાઇ ?પોલીસ અધિકારી અને કર્મચારીઓએ કોના કહેવાથી દુષ્પ્રેરણ કર્યું તેની તપાસ થશે

Updated: Sep 19th, 2020

GS TEAM


Google News
Google News

સુરત,તા.19સપ્ટેમ્બર,2020 શનિવાર

ચકચારી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં બારડોલી પોલીસે ઝડપેલા બે આરોપીઓને આજે માંડવી કોર્ટમાં રજુ કરીને કુલ 14 કારણોસર 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બંને આરોપીઓને તા.23મી સપ્ટેમ્બર સુધી એટલે કે ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

સહકારી ક્ષેત્રના અગ્રણી એવા દુર્લભભાઇ ગાંડાભાઇ પટેલે ગઈ તા.7મી સપ્ટેમ્બરના રોજ જમીનના સોદાના દસ્તાવેજના મામલે દબાણ કરવામાં આવતાં ખજરોલી ગામની સીમમાં જલારામ સ્ટોન ક્વોરીની ખાણમાં પાણીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. જે અંગે મૃત્તકના પુત્ર ધર્મેશ પટેલ (રે.સુર્યપુર સોસાયટી, રાંદેર રોડ)એ રાંદેર પોલીસ મથકના આરોપી પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, રાજુ ભરવાડ, હેતલ દેસાઈ સહિત 10 થી વધુ આરોપીઓ વિરુધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી ધાકધમકી આપવાના ગુનાઈત કારસા અંગે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં બારડોલી પોલીસે આજે મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની આરોપી રાજુ લાખા ભરવાડ (રે.લસકાણા) તથા મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વતની ભાવેશ કરમશી સવાણી (રે.ન્યાલ કરણ બંગ્લોઝ,ડભોલી કતારગામ)ની ધરપકડ કરી આજે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે માંડવી કોર્ટમાં રજુ કર્યા હતા અને રિમાન્ડ માટે 14મુદ્દા રજૂ કર્યા હતા. જેના વિરોધમાં આરોપીઓના બચાવપક્ષે એડવોકેટ મિનેશ ધનસુખભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે, આરોપીઓ પાંચ દિવસથી પોલીસની કસ્ટડીમાં છે. ફરિયાદ તથા રિમાન્ડ અરજીની હકીકતો એકબીજાથી વિરોધાભાષી છે. તપાસ અધિકારીએ માત્ર માંગવા ખાતર રિમાન્ડ માંગ્યા છે. સહ આરોપીઓના નામ સરનામા ખુલી ગયા છે. જેથી સહ આરોપીઓની ધરપકડ માટે રિમાન્ડ માંગી શકાય નહીં. રિમાન્ડના 14 ગ્રાઉન્ડ પૈકી એકપણ ગ્રાઉન્ડમાં રીકવરી કે ડીસ્કવરી ઉપરાંત આરોપીઓની હાજરી વગર તપાસ અટકી પડે તેવું નથી. કોર્ટે બંને પક્ષોની રજુઆતો બાદ બંને આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

રિમાન્ડ મેળવવા ગ્રાઉન્ડ રજૂ કરાયા

(1)મરનારને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવામાં હાલના આરોપીઓ સિવાય કોણ સંડોવાયેલ છે.કઈ રીત રસમો અને કેવા પ્રકારની દુષ્પ્રેરણ કરવામાં આવ્યું.

(2)નાસતા ફરતા આરોપી કિશોર કોશિયા સાથે મરનારે ૨૪ કરોડમાં જમીનનો સોદો કર્યો હતો.જે માટે સોદા ચિઠ્ઠીની શરતોનું પાલન કર્યા વિના હાલના આરોપીઓને મિલકતનો વેચાણ દસ્તાવેજ કરાવવા,લખાણો કરવા કે સલાહ સુચનો આપવામાં કોણ સંડોવાયેલું છે.

(3)પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ કોના કહેવાથી મરનારને દુષ્પ્રેરણ કર્યું છે તેની તપાસ કરવાની છે.

(4)પીઆઈ બોડાણા તથા અન્ય આરોપીઓની ભુમિકા તપાસવાની છે.

(5) રાજુ ભરવાડ પાસેથી મળેી આવેલી રિવોલ્વરનો ભૂતકાળમાં કે હાલના ગુનામાં ઉપયોગ થયો છે કે કેમ ?

(6)આરોપીઓના મોબાઈલના સીડીઆરમાં જે નંબરો ધરાવનાર સાથે આરોપીઓના સંબંધોની માહિતી મેળવવાની છે.

(7)આરોપીઓની વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવવાની છે.

(8)પોલીસ અધિકારીઓ સાથે આરોપીઓની કોણે ઓળખાણ કરાવી,ક્યા પ્રકારની મદદ કરી ,આર્થિક વ્યવહારોની તપાસ કરવાની છે.

(9)ગુનો નોંધાયા બાદ આરોપીઓ કોના સંપર્કમાં હતા.કોને આશરો આપ્યો.મોબાઈલ તથા સીમકાર્ડની ડીટેઈલ્સ મેળવવાની છે.

 

Tags :