રાજકોટમાં નવા બનેલા સાંઢિયા બ્રિજમાં મોટી ખામી, વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ જ ન નાખી, લોકાર્પણ અટવાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News: રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓ નવનિર્મિત સાંઢિયા બ્રિજની મુલાકાત કરતાં બ્રિજના મુખ્ય જોઇન્ટમાં લેવલ ન હોવાનું અને ફિનિશિંગ કામમાં ક્ષતિ હોવાનું જાણવા મળ્યું હતું. આમ, નવા બનેલા સાંઢિયા બ્રિજમાં વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ નાખવાનું ભૂલાઈ ગયું હોવાથી તંત્રએ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અને કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં બ્રિજનું લોકાર્પણ કરવાનું હતું, પરંતુ બ્રિજમાં હવે ખામી જણાતાં લોકાર્પણ અટવાયું છે.
બ્રિજની કામગીરીમાં ખામી
રાજકોટમાં સાંઢિયા બ્રિજની કામગીરીમાં ખામી જોવા મળી છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે બ્રીજમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં મોટી ચૂક કરવામાં આવી છે. તેમજ જો બ્રિજ નીચે પાર્કિંગ કે અન્ય આયોજન કરવામાં આવે તો પણ વરસાદી પાણી પડવાની સમસ્યા તેવું છે.
બ્રિજમાં પાણીના નિકાલ માટે પાઇપ નાખવામાં આવ્યા નથી. ત્યારે બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ, તંત્ર દ્વારા બ્રિજના નિરીક્ષણમાં શું જોયું તેવા પ્રશ્ન થઈ રહ્યા છે. હાલ તો બ્રિજમાં ખામી વર્તાતા લોકાર્પણ મોડું થાય તેવું જણાય રહ્યું છે.









