Get The App

રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા 1 મહિનામાં આવાસના હપ્તા પેટે રૂ. 12,25,54,046ની આવક

Updated: Mar 2nd, 2022

GS TEAM


Google News
Google News
રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા 1 મહિનામાં આવાસના હપ્તા પેટે રૂ. 12,25,54,046ની આવક 1 - image


-     તા.01/04/2021થી તા.28/02/2022 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.140,35,24,532/-ની આવાસના હપ્તા પેટે વસુલાત

રાજકોટ, તા. 02 માર્ચ, 2022, બુધવાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.01/02/2022 થી તા.28/02/2022 સુધીમાં રૂ.12,25,54,046(બાર કરોડ પચ્ચીસ લાખ ચોપ્પન હજાર છેતાલીસ પુરા)ની આવક કરેલી છે. તા.23/06/202 થી તા.28/02/2022 સુધીમાં રૂ.109,84,01,808/-(એકસો નવ કરોડ ચોર્યાસી લાખ એક હજાર આઠસો આઠ પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. આજ રીતે તા.01/04/2021થી તા.28/02/2022 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.140,35,24,532/- (એકસો ચાલીસ કરોડ પાત્રીસ લાખ ચોવીસ હજાર પાંચસો બત્રીસ પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે.

હાલમાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગના આસીસ્ટન્ટ મેનેજર દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

 

Tags :