Gujarat

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા

By GS TEAM
14 Jun 20262 mins read
TukuTouch Logo
રાજકોટ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતો અને કૌટુંબિક કંકાસની પરાકાષ્ઠા સમાન એક અત્યંત સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિમલનગર વિસ્તારમાં મોડી રાત્રે એક જમાઈએ પારિવારિક ઝઘડાના આક્રોશમાં આવીને પોતાની પત્નીના સગા નાનાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દીધી છે. આ હુમલામાં વચ્ચે પડ[લાં વૃદ્ધા પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા

Rajkot Crime News : રાજકોટ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતો અને કૌટુંબિક કંકાસની પરાકાષ્ઠા સમાન એક અત્યંત સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિમલનગર વિસ્તારમાં મોડી રાત્રે એક જમાઈએ પારિવારિક ઝઘડાના આક્રોશમાં આવીને પોતાની પત્નીના સગા નાનાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દીધી છે. આ હુમલામાં વચ્ચે પડ[લાં વૃદ્ધા પણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

મળતી વિગતો અનુસાર, મૂળ વેરાવળના વતની વિવેક ગોસ્વામી નામના યુવકના લગ્ન થયા બાદ છેલ્લા ઘણા સમયથી તેની પત્ની સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસ અને વિવાદને કારણે પત્ની તેના પિયર પક્ષમાં (નાનાના ઘરે) રહેતી હતી. પત્નીએ વિવેક સાથે તેના ઘરે પાછા જવાની સ્પષ્ટ ના પાડી દીધી હોવાથી આરોપી વિવેક અવારનવાર ઉશ્કેરાઈને પત્ની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપતો હતો. આ મામલે અગાઉ ભોગ બનનાર પરિવાર દ્વારા સુરક્ષા અને રક્ષણ મેળવવા માટે યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત અરજી પણ કરવામાં આવી હતી.

ગઈકાલે મોડી રાત્રે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરોપી વિવેક ગોસ્વામી છરી જેવા ઘાતક હથિયાર સાથે વિમલનગરમાં આવેલા પત્નીના નાનાના ઘરે ધસી આવ્યો હતો. ત્યાં ફરીથી બોલાચાલી થયા બાદ વિવેકે આવેશમાં આવીને પત્નીના નાના પ્રવિણભાઈ પર છરી વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ લોહિયાળ હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે વૃદ્ધ પ્રવિણભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રવિણભાઈના પત્ની (પત્નીના નાની) આ હુમલામાં વચ્ચે પડતાં તેઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

હત્યાની આ સનસનાટીભરી ઘટના બાદ આરોપી વિવેક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પ્રવિણભાઈના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આરોપી વિવેક ગોસ્વામી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.