Gujarat

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

By GS TEAM
14 Mar 20261 min read
રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો

2 માસ પહેલા હોસ્પિટલે કાઉન્સેલીંગ કર્યું પણ ડીપ્રેસન ગયું નહીં : જાન્યુઆરીમાં રાજસ્થાન ઘરે આરામ કરવા મોકલાયા બાદ અચાનક રાજકોટ આવી જીવન ટૂંકાવ્યું : એક તરફી મિત્રતા સહિત મુદ્દે તપાસ

 રાજકોટ, : ગુજરાતની એકમાત્ર રાજકોટ એઈમ્સમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરીને ઈન્ટર્ની ડોક્ટર તરીકે ત્યાં જ ફરજ બજાવતા રતનકુમાર મેઘવાળ નામના 26 વર્ષના યુવાને એઈમ્સ નજીકના પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. આશાસ્પદ યુવાન કે જેને એઈમ્સમાં મેડીકલમાં પ્રવેશ મળ્યો અને ડોક્ટરની ડિગ્રી સાથે ઉજ્જવળ ભાવિ છતાં નિરાશાની ગર્તામાં ધકેલાઈને જીવન ટૂંકાવ્યું છે. 

આ અંગે એઈમ્સના સૂત્રોએ જણાવ્યું કે બે માસ પહેલા જાન્યુઆરીમાં આ યુવાન મેડીકલ હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર ગૂમ થઈ જતા તેને હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શાંતિપૂર્વક બેસાડીને કાઉન્સેલીંગ કરીને સમજાવવામાં આવ્યો હતો અને આરામ કરીને ફ્રેશ થવા માટે તેના વતન રાજસ્થાન મોકલવામાં આવેલ. બાદમાં તે એઈમ્સમાં ફરી આવેલ નથી.

આજે અચાનક તે રાજકોટમાં ટ્રેન હેઠળ કુદીને આપઘાત કર્યો છે.  જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસસૂત્રો અનુસાર અગાઉ તે હોસ્ટેલમાંથી ગૂમ થયેલ તે વખતે તેને એકતરફી પ્રેમ કે ફ્રેન્ડશીપનો મુદ્દો ચર્ચાતો હતો પરંતુ, આ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.