સુરેન્દ્રનગર જીલ્લામાં વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન
શહેરી વિસ્તારો સહિત ધ્રાંગધ્રા, લખતર, મુળી સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધાયો
સુરેન્દ્રનગર - હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો હતો અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તાલુકાઓમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જ્યારે ખેડુતોએ પણ વરસાદી માહોલ જામતા આનંદની લાગણી અનુભવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ-ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જીલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર તેમજ જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો અને આસપાસના ગામોમાં ધીમીધારેથી લઈ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો જ્યારે જીલ્લાના ધ્રાંગધ્રા, લખતર, મુળી, લીંબડી, ચુડા સહિતના તાલુકાઓમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદ પડતા લોકોએ એકંદરે ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. જીલ્લાના ખેડુતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તેવા સમયે વરસાદ પડતા ખેડુતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ જવા પમી હતી.