Gujarat

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ

By GS TEAM
31 Aug 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા ચનાભાઇ સાજણભાઈ ગરચર નામના ૫૫ વર્ષના રબારી જ્ઞાતિના આઘેડ કે જેઓના ભેંસ-પાડી વગેરે પશુઓ નદી કાંઠે ચરતા હતા, જેઓને પરત લેવા માટે ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા ચનાભાઇ સાજણભાઈ ગરચર નામના ૫૫ વર્ષના રબારી જ્ઞાતિના આઘેડ કે જેઓના ભેંસ-પાડી વગેરે પશુઓ નદી કાંઠે ચરતા હતા, જેઓને પરત લેવા માટે ગયા હતા.

દરમિયાન અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે હીરીબેન ચનાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના એ.એસ.આઇ.એલ.આર. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધૂ તપાસ હાથ ધરી છે.