Gujarat

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

By GS TEAM
19 Jun 20261 min read
TukuTouch Logo
જાહેર માર્ગોના ખોદકામથી ટ્રાફિક સમસ્યા રોજિંદી બની : પવનચક્કી સર્કલ પાસે ચાલી રહેલા કામથી વાહનચાલકો પરેશાન

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Jamnagar : જામનગર શહેરના પવનચક્કી સર્કલ નજીક મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા માર્ગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોની ધીમી ગતિને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ પર ખોદકામ કરવામાં આવતા રોજિંદા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.

સર્કલની વચ્ચે મોટા ખાડાઓ ખોદવામાં આવ્યા હોવાથી વાહનોની અવરજવર પ્રભાવિત થઈ રહી છે. ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. પરિણામે લાંબી વાહનોની કતારો લાગી રહી છે અને લોકોને પોતાના ગંતવ્યસ્થાને પહોંચવામાં વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી સમસ્યા વધુ ગંભીર બની છે. ટ્રાફિકના દબાણ વચ્ચે રસ્તા પર સુરક્ષાની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. અનેક વખત વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. રોજિંદા નોકરી-ધંધા માટે નીકળતા લોકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે.

નાગરિકોનું કહેવું છે કે જો કામ સમયસર પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. હાલ તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી પૂર્ણ કરી માર્ગને સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવાની માંગ ઉઠી રહી છે.