Get The App

મહી નદી બ્રીજ દુર્ધટનાના સંદર્ભમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શનઃ કાર્યકરોની અટકાયત

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
મહી નદી બ્રીજ દુર્ધટનાના સંદર્ભમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શનઃ કાર્યકરોની અટકાયત 1 - image


જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે

સરકારમાં ચાલતા ભ્રષ્ટચારને લીધે લોકોએ ટેક્સ અને જીવ બન્ને દેવા પડે છે તેવા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી શરીરે પાટાપીંડી કરી કોંગ્રેસ દ્વારા વિરોધ 

જામનગર: વડોદરાની મહીસાગર નદી પરના બ્રીજ ની દુર્ઘટનાના મામલે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે લાલ બંગલા સર્કલમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કોંગી કાર્યકરો પાટા પિંડી સાથે રોડ રસ્તા પર ઉતર્યા હતા. અને પોલીસ દ્વારા ૧૫ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.

 વડોદરા નજીક મહીસાગર નદી પરના બ્રીજ તૂટી પડતા અનેક નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે.તે મામલે જામનગરમાં નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગુજરાતમાં ભાજપની સરકારમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેના કારણે ગુજરાતની નિર્દોષ પ્રજાએ  ટેક્સ તેમજ જીવ બંને દેવો પડે છે, તેમ દર્શાવીને પોસ્ટર સાથે કોંગી કાર્યકર્તાઓ દ્વારા જાહેરમાં લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

 શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ મનપાના વિરોધ પક્ષના નેતાની રાહબરીમાં કોંગી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. જેમાં કેટલાક કાર્યકર્તાઓએ પોતાના શરીરમાં પાટા પીંડી કરીને ે નવતર પ્રકારે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વેળાએ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દોડી આવી શહેર કોંગી પ્રમુખ સહિત ૧૫ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.


Tags :