Get The App

તળાજાના લોકોને શેત્રુંજી ડેમમાંથી પીવાનું પાણી આપવાની રજૂઆત

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
તળાજાના લોકોને શેત્રુંજી ડેમમાંથી પીવાનું પાણી આપવાની રજૂઆત 1 - image


- વર્ષ 1995-96 માં પમ્પિંગ સ્ટેશન ઉભું કરી પાણી આપવામાં આવતું હતું

- શેત્રુંજી નદી પરના ચેકડેમમાં ગામડાઓની ગટરનું પાણી ઠલવાતા પીવા લાયક નહીં

તળાજા : તળાજા શહેરના લોકોને પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ભૂતકાળની જેમ ફરી વખત શેત્રુંજી ડેમમાંથી પીવાનું પાણી આપવાની રાજ્યના પાણી પુરવઠા મંત્રી સમક્ષ માંગ કરાઈ છે.

તળાજાના લોકોને વર્ષ ૧૯૯૫-૯૬માં છ ઈંચની લાઈન નાંખી પમ્પિંગ સ્ટેશન ઉભું કરી પીવાનું આપવામાં આવતું હતું. પરંતુ શાસકો અને નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતા લાઈન તૂટી ગઈ હતી. ત્યારબાદ તળાજાને પાણીને લઈ સ્વાવલંબી બનાવવા માટે વર્ષ ૨૦૦૩માં શેત્રુંજી નદી ઉપર ચેકડેમનું નિર્માણ કરાયું છે. પરંતુ આજની સ્થિતિએ આ ચેકડેમમાં ઉપરવાસના ગામોમાંથી ગટરના ગંદા પાણી ઠલવાતા હોવાના કારણે પીવા લાયક પાણી રહ્યું નથી. જેથી નગરપાલિકાના પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને રજૂ-ાત કરી શેત્રુંજી ડેમથી તળાજા સુધી પાણીની લાઈન પાથરી તળાજાના લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગણી કરી છે.

Tags :