Get The App

પાલિતાણા શહેરના 3 ફીડર હેઠળના વિસ્તારોમાં આજથી 3 દિવસ વીજકાપ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
પાલિતાણા શહેરના 3 ફીડર હેઠળના વિસ્તારોમાં આજથી 3 દિવસ વીજકાપ 1 - image


- મેઈન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે 7 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે

- દરબારગઢ, આદિનાથ અને વૃંદાવન ફીડર હેઠળના 30 થી વધારે વિસ્તારોમાં સવારે 7 થી બપોરે બે કલાક સુધી પાવરકટ

ભાવનગર : પીજીવીસીએલની મેઈન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે પાલિતાણા શહેરના દરબારગઢ, આદિનાથ અને વૃંદાવન ફીડર હેઠળના ૩૦થી વધારે વિસ્તારોમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી અલગ-અલગ દિવસે વીજકાપ લાદવામાં આવ્યો છે.

પીજીવીસીએલની મેઈન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે પાલિતાણા શહેરના દરબારગઢ ફીડર હેઠળના વિસ્તારોમાં આવતીકાલે તા.૦૪-૦૬ના રોજ, આદિનાથ ફીડર હેઠળના વિસ્તારોમાં તા.૦૫-૦૬ના રોજ અને વૃંદાવન ફીડર હેઠળના વિસ્તારોમાં તા.૦૬-૦૬ના રોજ સવારે ૭ થી બપોરે ૨ કલાક સુધી એમ કુલ ૭ કલાકનો વીજકાપ લાદવામાં આવ્યો છે. ઉનાળાની આકરી ગરમીમાં વહેલી સવારથી પીજીવીસીએલ દ્વારા શહેરના ૩૦થી વધારે વિસ્તારોમાં લાદવામાં આવેલા આ વીજકાપના કારણે લોકો માટે મુશ્કેલ બનશે. બીજી તરફ મેઈન્ટેનન્સની કામગીરી વહેલીપૂર્ણ થયે અગાઉ જાણ કર્યાં વિના પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.

Tags :