વડોદરાઃ વડોદરામાં આવતીકાલે જુદાજુદા ત્રણ કારણોસર પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે.પૂર્વ સંધ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એસઆરપીની સાથે સંવેદનશિલ વિસ્તારોમાં ફર્યા હતા.
આવતીકાલે પરશુરામ જયંતિ નિમિત્તે પૂર્વ વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પાણી ગેટ દરવાજા અને ચાર દરવાજા વિસ્તારમાંથી પસાર થતી હોવાથી કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી આજે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આવતીકાલે પીએસઆઇની પરીક્ષા પણ યોજાનાર છે.જેમાં ૨૨૫૦૦ જેટલા ઉમેદવારો હાજર રહેનાર હોવાથી તેમને અડચણ ના પડે તે માટે પોલીસને તૈયાર રખાઇ છે.તો બીજીતરફ ચૂંટણી નિમિત્તે પોલીસનો બંદોબસ્ત જારી છે.
આજે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સંવેદનશિલ વિસ્તારોમાં પેટ્રોલિંગની સાથેસાથે ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરાવ્યું હતું.આવતીકાલે પણ આવી જ રીતેબંદોબસ્ત જારી રાખવામાં આવશે.ટ્રાફિક પોલીસને પણ સ્થિતિ પર નજર રાખવા કહેવાયું છે.


