અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી 2022 શનિવાર
રાજ્ય સરકારે વ્યક્તિગત શિક્ષણ અને શાળાઓમાં 100% હાજરી શરૂ કરવાનો આદેશ આપ્યાના એક અઠવાડિયા બાદ આ નિર્ણયને પડકારતી PIL ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી.
પિટિશનમાં દલીલ કરવામાં આવી છે કે પરિપત્ર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા એસઓપીની વિરુદ્ધ છે. જે તમામ શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય પ્રવૃત્તિઓ માટે બંધ જગ્યાઓમાં માત્ર 50% ક્ષમતાને મંજૂરી આપે છે. આ કોવિડ પ્રોટોકોલથી વિપરીત પરિપત્ર શાળાઓમાં 100% હાજરી ફરજિયાત કરે છે અને તેથી બાળકોના હિતમાં તેને રદ કરવો જોઈએ.
કોર્ટ આ પીઆઈએલ પર આગામી સપ્તાહે સુનાવણી કરે તેવી શક્યતા છે.


