Get The App

લીંબડીમાં 24 કલાકમાં 16 કલાકથી વધુ વીજ પુરવઠો બંધ રહેતા લોકો ત્રસ્ત

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
લીંબડીમાં 24 કલાકમાં 16 કલાકથી વધુ વીજ પુરવઠો બંધ રહેતા લોકો ત્રસ્ત 1 - image


- આરએન્ડબી વિભાગે બે વખત વીજ તાર તોડી નાખતા

- પહેલા પ્રિ-મોન્સૂન અને પછી આરએન્ડબી વિભાગની બેદરકારીથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

લીંબડી : લીંબડી શહેરમાં છેલ્લા બે દિવસમાં ૧૬ કલાક થી વધુ વીજ પુરવઠો બંધ રહેતાં સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા. વીજ પુરવઠો અવાર નવાર બંધ રહેતાં વેપારીઓને વેપાર ધંધામાં નુકશાની પહોંચ છે. તથા દર્દીઓ નાના બાળકો અને સિનિયર સિટીઝને વધુ તકલીફો વેઠવી રહ્યા છે.

લીંબડીમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા ગુરૂવારે વહેલી સવારે ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીનો વીજ કાપ મુકીને પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ હાલ લીંબડી હાઈવે સર્કલ પર ઓવરબ્રીજ નીચે રોડની બંને સાઈડમાં આર એન્ડ બી દ્વારા ભુગર્ભ ગટર લાઈન બનાવવાનું કામ ચાલુ છે. જેને કારણે હાઈવે પર થી શહેરમાં વીજ પુરવઠો પુરો પાડતો પીજીવીસીએલનો વીજ તાર આર એન્ડ બી દ્વારા કોઈ કારણોસર ગુરૂવારે ગટર લાઈનની ખોદ કામગીરી દરમિયાન જીસીબીથી વીજ તાર તોડી નાંખવામાં આવતાં પીજીવીસીએલનુ ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયું હતું.

જેના કારણે લીંબડી શહેરમાં ગુરૂવારે બપોરના ૪ વાગ્યાથી રાત્રીના ૮.૩૦ વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યાર બાદ બીજા દિવસે શુક્રવારે સવારે પણ આર એન્ડ બી દ્વારા ગટર લાઈન ના ખોદ કામગીરી દરમિયાન રોડ ની બીજી સાઈડ મા વીજતાર તોડી નાખવામાં આવતાં સવારે ૧૦ વાગ્યે થી બપોર ના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં બે દિવસમાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. જો કે પીજીવીસીએલ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે.

ત્યારે બે દિવસમાં ૧૬ કલાક થી વધુ વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે બીપી ડાયાબિટીસ હાર્ટના દર્દીઓને તથા નાના બાળકો તથા સિનિયર સિટીઝન સહિત સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. અને ગરમી માં બાફાવાનો વાળો આવ્યો હતો. તેમજ આઈસ્ક્રીમ દુધ પાર્લર સહિત નાના મોટા વેપારીઓને પોતાનો માલ સામાન બગડી જવા પામ્યું હતું. જેને કારણે ભારે વેપારીઓને ભારે નુકસાની ભોગવવી પડી હતી. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ વોલ્ટેજ વધઘટ થતાં હોવાની પણ રાવ ઉઠવા પામી છે. છતાંય પીજીવીસીએલ તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી. અને અવાર નવાર વીજકાપ મુકવામાં આવે છે. જેને કારણે સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. 

Tags :