Get The App

ધંધુકા પંથકમાં વીજ કંપનીની લાલીયાવાડીથી લોકો ત્રાહિમામ

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
ધંધુકા પંથકમાં વીજ કંપનીની લાલીયાવાડીથી લોકો ત્રાહિમામ 1 - image


- છેલ્લા 8 દિવસના વીજ ધાંધિયાથી લોકોની ધીરજ ખૂટી

- વારંવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ નહીં આવતા મધ્યરાત્રીએ લોકોએ વીજ કચેરીને કર્યો ઘેરાવ

ધંધુકા : ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠો અવારનવાર ખોરવાઈ રહ્યો છે. વીજળી કલાકો સુધી ગુલ થઈ જવાની સમસ્યાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન છે.લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચતા  રોજકા ગામના રહીશો મધ્યરાત્રિ બાદ વીજ કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે, કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી હાજર ન હતા.યુજીવીસીએલની કામગીરી સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો.

ધંધુકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. કલાકો સુધી વીજળી ગુલ રહેવાના કારણે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને ઉનાળાના તાપમાનમાં લોકોનું દૈનિક જીવન દુષ્કર બની ગયું છે. વીજ કાપ થી ઘરેલુ, શૈક્ષણિક તેમજ ઉદ્યોગ  પર પણ નકારાત્મક અસર પડી રહી છે.શહેરી જનો તેમજ નજીકના રોજકા ગામના નાગરિકોનું સાંભળવા જેવું દુઃખ એ છે કે, રાતે ઘરમાં પંખા, એસી કે અન્ય વીજ ઉપકરણો ચાલતા ન હોવાથી બાળકોથી માંડી વૃદ્ધો સુધી મુશ્કેલી ભોગવી રહ્યા છે. વારંવારના વીજ કાપને લઈ મધ્યરાત્રે નાગરિકોએ ઘેરા રોષ સાથે  ધંધુકા (ઉત્તર ગુજરાત વીજ કંપની લિ.) કચેરી ઉપર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. મધ્યરાત્રે કચેરીએ પહોંચેલા લોકોએ ત્યાં કોઈ અધિકારી હાજર ન હોવાનું જણાતા ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી  નાગરિકોના મતે, જ્યારે વીજળીની સમસ્યા મધરાતે વધી જાય છે, ત્યારે કોઈ પણ જવાબદારી નિભાવવા તૈયાર નથી. યુજીવીસીએલ તરફથી કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે સમજૂતી આપવામાં આવતી નથી. સાથે ધંધુકા યુ.જી.વી.સી.એલ ના ફોન લાઈટ જાય એટલે બંધ કરી દેવામાં આવે છે.જેથી વીજ કાપ અંગે પૂર્વ જાણ કરવા વ્યવસ્થા ઊભી કરવામાં આવે,કચેરીમાં રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ તહેનાત રહે,ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તાત્કાલિક સુધારવામાં આવે,જવાબદાર અધિકારીઓ દ્વારા જાહેરમાં સ્પષ્ટતા આપવામાં આવે,વિજ કંપની નો કસ્ટમર કેર નંબર હંમેશા કાર્યરત રહે , જાણી જોઈ ને બંધ કરવામાં ન આવે તેવી માંગણી કરી છે.

રોજકા ગામનું નવજાત શીશુ વિજ કાપ થી મુશ્કેલીમા મુકાયુ

ધંધુકા ના રોજકા ગામે રહેતા રહીશ જીતેન્દ્રસિંહ દ્રારા જણાવવમાં આવ્યુ  કે છેલ્લા ઘણા સમય થી મુશ્કેલી નો સામનો કરી રહ્ચા છીએ. હાલ રોજકા ગામ નું એક નવજાત શીશુ બે માસથી ભાવનગર ખાતે દાખલ હતો અને સાત થી આઠ લાખ ના ખર્ચ કર્યા બાદ તેને રોજકા ગામે પેટી માં રાખવામાં આવેલ છે ૧૩ તારીખે રોજકા ગામ ખાતે લઈ આવ્યા બાદ ૧૪ તારીખ ના રોજ આખી રાત લાઈટ હતી તે ૧૫ તારીખે બપોર બાદ લાઈટ આવી હતી અને ત્યાર બાદ દોઢ કલાક બાદ ફરી લાઈટ જતી રહી હતી અને અહી રજુવાત કરવા આવ્યા ત્યાં સુધી આવી નથી સાથે ક્યારે પણ કસ્ટમર કેર નંબર પણ લાગતો નથી જેથી મજબુરી થી અમારે અડધી રાતે આખા ગામે ધંધુકા રજુવાત કરવા આવવા માટે મજબુર બન્યા છીએ.

Tags :