વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના ટ્રાફિકથી મુસાફરો પરેશાન....!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોના ભારે ટ્રાફિકને કારણે દરરોજ હજારો મુસાફરો 10થી 20 મિનિટના વિલંબથી પરેશાન થઈ રહ્યા છે. જાગૃત નાગરિકે રેલવે સત્તાવાળાઓને આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.
નાગરિકની રજૂઆત અનુસાર, અમદાવાદ, રતલામ અને સુરતથી આવતી મોટાભાગની ટ્રેનો બાજવા, નવાયાર્ડ, છાયાપુરી અને વિશ્વામિત્રી સ્ટેશન સુધી સમયસર કે સમય કરતાં પહેલાં પહોંચી જાય છે. પરંતુ વડોદરા સ્ટેશન પર પાર્કિંગના અભાવે ટ્રેનો 10થી 20 મિનિટ વિલંબથી પ્લેટફોર્મ પર પહોંચે છે. આ સ્થિતિથી ટ્રેનમાં બેસેલા તેમજ પ્લેટફોર્મ પર રાહ જોતા મુસાફરો બંનેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો અને બીમાર મુસાફરો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે. આ વડોદરા રેલવે મુસાફરો માટે ગંભીર અને વાસ્તવિક સમસ્યા છે. ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.








