Get The App

વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું નિધન, બ્રેઈન હેમરેજને કારણે લીધા અંતિમ શ્વાસ

પરાગ દેસાઈ મોર્નિંગ વૉક પર દુર્ઘટનાનો શિકાર થયા હતા

Updated: Oct 23rd, 2023

GS TEAM

Google News
Google News
વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું નિધન, બ્રેઈન હેમરેજને કારણે લીધા અંતિમ શ્વાસ 1 - image


Wagh Bakri owner Parag Desai Dies : ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના કાર્યકારી નિર્દેશક પરાગ દેસાઈનું 49 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ તેની પ્રતિષ્ઠિત ચા બ્રાન્ડ વાઘ બકરી માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.   

મોર્નિંગ વૉક પર દુર્ઘટનાનો શિકાર થયા હતા 

પરાગ દેસાઈ 15 ઓક્ટોબરે જ્યારે મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા ત્યારે તેમના ઘરની નજીકમાં જ ઈસ્કોન આંબલી પાસે શ્વાન દોડતા તેઓ પડી ગયા હતા. જેના લીધે તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના લીધે તેમને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. તેમને તાત્કાલિક ધોરણે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. 

હાલત બગડતાં હેબતપુર લઈ જવાયા હતા 

દેસાઈ પરિવારના નજીકના સુત્રોએ જણાવ્યું હતું કે તેમને એક ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા બાદ તેમની સર્જરી કરાઈ હતી. આ દરમિયાન તેમને સાત દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા. જોકે સ્વાસ્થ્યમાં સુધારો ન થતાં છેવટે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


Tags :