Gujarat

પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું

By GS TEAM
12 Feb 20261 min read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક અત્યંત અમાનવીય ઘટના સામે આવી છે. શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલાલ દરવાજા નજીક એક પ્લાસ્ટિકની થેલીમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક અત્યંત અમાનવીય ઘટના સામે આવી છે. શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલાલ દરવાજા નજીક એક પ્લાસ્ટિકની થેલીમાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરવામાં આવી હતી.

અજાણી વ્યક્તિ ભ્રૂણને ત્યજીને ફરાર 

ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી પડી હતી. સ્થાનિક લોકોની નજર આ થેલી પર પડતા અને તેમાં તપાસ કરતા, અંદરથી એક નવજાત ભ્રૂણ મળી આવ્યું હતું. કોઈ અજાણી વ્યક્તિ આ ભ્રૂણને અહીં ત્યજીને ફરાર થઈ ગઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ગોધરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોધરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ભ્રૂણને પોતાના કબજે લીધું હતું.

પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી આ પાપ કરનાર વ્યક્તિની ઓળખ થઈ શકે.

આ પણ વાંચો: અમદાવાદના કાંકરિયામાં સરાજાહેર હત્યા, પથ્થરના ઘા ઝીંકી મંગેતરે યુવતીનો જીવ લીધો

લોકોમાં ભારે રોષ

ભરબજારમાં અને જાહેર રસ્તા નજીક આ પ્રકારે ભ્રૂણ ફેંકી દેવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ ઘટનાને માનવતા પર કલંક સમાન ગણાવી રહ્યા છે અને માગ કરી રહ્યા છે કે આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.