Video: પાલીતાણાના પથ પર શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે આવી પહોંચ્યા સિંહ, જાણે સાવજો આવ્યા ભગવાનના દર્શને!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lions in Palitana: ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં એક અદ્ભુત અને કુતૂહલપ્રેરક દ્રશ્ય સર્જાયું હતું. શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે પદ્માવતી માતાજીના મંદિર નજીક સિંહ જોવા મળ્યા હતા. સિંહની હાજરીથી જૈન શ્રદ્ધાળુઓમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર પદ્માવતી મંદિર તરફ જતા માર્ગ પર 4 સિંહોના એક ટોળામાંથી બે સિંહ પાલીતાણા જૈન તીર્થના માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા હતા. ડુંગર પરથી આ સિંહો અચાનક જૈન તીર્થધામના પથ પર પહોંચી ગયા હતા.
સૌથી અચરજની વાત એ હતી કે આ માર્ગ પર શ્રદ્ધાળુઓ અને સિંહ એક સાથે ચાલતા નજરે પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને જાણે સિંહ પણ આદિનાથ ભગવાનના દર્શન કરવા પહોંચ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. મહત્ત્વની વાત એ છે કે સિંહે શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યું નહોતું. જૈન તીર્થધામના પવિત્ર માર્ગ પર સિંહ દર્શન થતાં શ્રદ્ધાળુઓ માટે આ એક અનન્ય અને યાદગાર ક્ષણ બની રહી હતી.








