Gujarat

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન

By GS TEAM
24 Apr 20261 min read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે નિધન થયું છે. હૃદય રોગના હુમલા બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પદ્મશ્રી સુરેશ સોનીનું 82 વર્ષની વયે નિધન, કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું હતું જીવન

Padmashri Sureshbhai Soni Passing Away: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત રાજેન્દ્રનગરના સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે નિધન થયું છે. હૃદય રોગના હુમલા બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

કુષ્ઠરોગીઓની સેવામાં આજીવન સમર્પણ

સુરેશભાઈ સોનીએ પોતાનું સંપૂર્ણ જીવન સમાજ દ્વારા તરછોડાયેલા કુષ્ઠરોગીઓની નિસ્વાર્થ સેવા માટે અર્પણ કરી દીધું હતું. તેમણે રાજેન્દ્રનગર ખાતે 'સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ' સંસ્થાની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં હજારો કુષ્ઠરોગીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ રહેવા-જમવા અને સન્માનજનક જીવન જીવવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવતી હતી. તેમની આ અપ્રતિમ સેવા બદલ ભારત સરકાર દ્વારા તેમને પ્રતિષ્ઠિત 'પદ્મશ્રી' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત એસટીનું 'છાનું છપનું' ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

સહયોગ સંસ્થા ખાતે અપાઈ અંતિમ વિદાય

પદ્મશ્રી સુરેશભાઈ સોનીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થા ખાતે રાખવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સેવકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. લોકોએ અશ્રુભીની આંખે સેવાના આ મહામાનવને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.