જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં પાનના ધંધાર્થી ઉપર પૈસાની લેતી દેતીના મામલે ૩ શખ્સો દ્વારા હુમલો કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા એક વેપારી યુવાન પર પૈસાની લેતી દેતી ના મામલે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી તેનો મોબાઈલ પણ તોડી નાખ્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા સહદેવસિંહ રતનસિંહ જાડેજા નામના વેપારીએ પોતાના ઉપર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે લાખાભાઈ ગઢવી, વિપુલ ગઢવી અને સતીશ સિંધી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે.
પોલીસની પૂછપરછ દરમિયાન ફરિયાદીના ભાઈ પાસે આરોપી લાખાભાઈ ગઢવી પૈસા માંગતો હોવાથી પૈસાની લેતી ના મામલે આ હુમલો કરાયો હોવાનું ઉપરાંત તેનો મોબાઇલ ફોન પણ તોડી નાખ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. હાલ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ ટુકડી ત્રણેયને શોધી રહી છે.








