Get The App

ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
ખનિજ ચોરી કેસમાં જામવાળીના પિતા-પુત્રની મિલકત જપ્તીનો હુકમ 1 - image

- પિતા-પુત્રને કોર્ટમાં હાજર ન થતાં ચોટીલા પ્રાંતની કાર્યવાહી

- દરોડામાં આરોપીઓએ સરકારી કર્મીઓ સાથે ઝઘડો કરી સીઝ કરેલા વાહનો છોડાવી ગયા હતા

સુરેન્દ્રનગર : થાનગઢના જામવાળી ગામના બે ભાગેડુ આરોપીઓ વિરુદ્ધ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાએ મિલકત જપ્તીનો આદેશ કર્યો છે. આરોપીઓ રણુભાઈ દાનાભાઈ અલગોતર અને તેનો પુત્ર વિજયભાઈ રણુભાઈ અલગોતર ખનિજ ચોરીના કેસમાં કોર્ટમાં હાજર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

થાન તાલુકાના જામવાડી ગામના સરકારી સર્વે નંબર ૭૧,૭૨,૭૩ તથા ૭૮ વાળી જમીનમાં ગેરકાયદે ખનિજ ચોરી કરી થતી હોવાની બાતમીના આધારે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને ટીમે રેઇડ કરી હતી અને પિતા-પુત્ર (૧) રણુભાઇ દાનાભાઇ અલગોતર (૨) વિજયભાઇ રણુભાઇ અલગોતર (બંને રહે. જામવાડી, તા.થાન) અને તેમના સાગરિતોને બોલાવી સરકારી કર્મચારી સાથે બોલાચાલી કરી ખનિજ ચોરીમાં ઉ૫યોગમાં લેવાયેલ વાહનો છોડાવી નાસી છુટી ગુનો આચર્યો હતો. પિતા-પુત્રને હાજર થવાની ફરજ પાડવા ગત મે-૨૦૨૫ના રોજ વોરંટ કાઢવામાં આવ્યું હતું. વોરંટને આધારે થાન પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ બંને પિતા અને પુત્ર નાસી છૂટયા હતા. ત્યાર બાદ બંને પિતા અને પુત્રને ભાગેડું જાહેર કરતું જાહેરનામું ગત જૂન ૨૦૨૫મા બહાર પાડી બંનેને કચેરી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો પરંતુ હાજર થયા નહોતા અને સુરેન્દ્રનગર સેશન્સ જજ સમક્ષ બંને પિતા અને પુત્રએ જુલાઈ ૨૦૨૫મા રિવિઝન અરજી કરતા તે નામંજૂર કરી હૂકમની તારીખથી ૧૫ દિવસમાં ચોટીલા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટના સમક્ષ હાજર થવા ફરમાવવામાં આવ્યું હોવા છતાં બંને શખ્સો આજ દિવસ સુધી હાજર થયા નહોતા આથી બંને પિતા અને પુત્રની મિલકત જપ્ત કરવા ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા જપ્તી હુકમ બહાર પાડી પ્લોટ અને જમીન સહિત જંત્રી મુજબ કુલ રૂ.૧૨,૫૫,૩૯૨ લાખની મિલકતનો કબજો તાત્કાલીક લઇ લેવા થાન મામલતદારને સુચનાઓ આ૫વામાં આવી છે. તેમજ જપ્ત કરેલ મિલકત સાચવવા જામવાડી અને ગુગલીયાણાના રેવન્યુ તલાટીની રીસીવર તરીકે નિમણૂક કરવામાં આવી છે.