Get The App

ફોર્ડ હડફેટે મૃત્તક વૃધ્ધના વારસોને 10.91 લાખ વળતર ચુકવવા હુકમ

Updated: Nov 18th, 2023

GS TEAM


Google News
Google News


 

ફોર્ડ  હડફેટે મૃત્તક વૃધ્ધના વારસોને 10.91 લાખ વળતર ચુકવવા હુકમ 1 - image

 

સુરત

14 વર્ષ પહેલાં કાર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક વૃધ્ધનું મજુરાગેટ બ્રિજ પરથી પડતા મોત થયું હતુ

       

14 વર્ષ પહેલાં મજુરાગેટ ઓવર બ્રિજ પર ફોર્ડ કારના ચાલકે સર્જેલા અકસ્માતથી મૃત્તક વૃધ્ધના વારસોએ કરેલી અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવેએ અંશતઃ મંજુર કરીને મૃત્તકના વારસોને 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.10.91 લાખ ચુકવવા કાર ચાલક,માલિકને હુકમ કર્યો છે.

ઉધના મગદલ્લા રોજ સ્થિત જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા 68 વર્ષીય ઈશ્વરલાલ પેનુભાઈ બાટલાવાલા તા.14-5-2009ના રોજ પોતાના મોટર સાયકલ પર બેસીને મજુરાગેટ ઓવર બ્રિજ પરથી પસાર થતાં હતા. દરમિયાન વિશ્વકર્મા ચેમ્બર પાસે અમીતભાઈ ધીરુભાઈ પટેલ (રહે.જે.ટી.નગરપુણાગામ)ની માલિકીની ફોર્ડ કારના ચાલક બોરડ લલિતકુમાર મનસુખભાઈ (રહે. ક્રિષ્ના એપાર્ટમેન્ટવરાછા)એ બેદરકારીથી કાર ચલાવીને મોટર સાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ફોર્ડ કારની ટક્કરથી મોટર સાયકલ પરથી ઉછળીને ઈશ્વરભાઈ બ્રિજ પરથી નીચે પડી જવાથી ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતુ.

જેથી મૃત્તકના પત્ની અસુમતીબેન પુત્ર મહેશભાઈ તથા જયકુમાર બાટલાવાલાએ ફોર્ડ કારના ચાલક બોરડ લલિતકુમારમાલિક અમિતભાઈ પટેલ વિરુધ્ધ રૃ.10 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે એવી રજુઆત થઈ હતી કે, 68 વર્ષીય મૃત્તક ઈશ્વરભાઈ બાટલાવાલા લુમ્સનું કારખાનું ધરાવતા હોઈ મહિને રૃ.30 હજાર આવક ધરાવતા હતા. જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઈને મૃત્તકના વારસોને માસિક રૃ9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.10.91 લાખ વળતર ચુકવવા કાર ચાલક તથા માલિકને હુકમ કર્યો હતો.


રત

14 વર્ષ પહેલાં કાર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક વૃધ્ધનું મજુરાગેટ બ્રિજ પરથી પડતા મોત થયું હતુ

       

14 વર્ષ પહેલાં મજુરાગેટ ઓવર બ્રિજ પર ફોર્ડ કારના ચાલકે સર્જેલા અકસ્માતથી મૃત્તક વૃધ્ધના વારસોએ કરેલી અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ પ્રણવ એસ.દવેએ અંશતઃ મંજુર કરીને મૃત્તકના વારસોને 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.10.91 લાખ ચુકવવા કાર ચાલક,માલિકને હુકમ કર્યો છે.

ઉધના મગદલ્લા રોજ સ્થિત જીવીબા પાર્ક સોસાયટીમાં રહેતા 68 વર્ષીય ઈશ્વરલાલ પેનુભાઈ બાટલાવાલા તા.14-5-2009ના રોજ પોતાના મોટર સાયકલ પર બેસીને મજુરાગેટ ઓવર બ્રિજ પરથી પસાર થતાં હતા. દરમિયાન વિશ્વકર્મા ચેમ્બર પાસે અમીતભાઈ ધીરુભાઈ પટેલ (રહે.જે.ટી.નગર, પુણાગામ)ની માલિકીની ફોર્ડ કારના ચાલક બોરડ લલિતકુમાર મનસુખભાઈ (રહે. ક્રિષ્ના એપાર્ટમેન્ટ, વરાછા)એ બેદરકારીથી કાર ચલાવીને મોટર સાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ફોર્ડ કારની ટક્કરથી મોટર સાયકલ પરથી ઉછળીને ઈશ્વરભાઈ બ્રિજ પરથી નીચે પડી જવાથી ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતુ.

જેથી મૃત્તકના પત્ની અસુમતીબેન પુત્ર મહેશભાઈ તથા જયકુમાર બાટલાવાલાએ ફોર્ડ કારના ચાલક બોરડ લલિતકુમાર, માલિક અમિતભાઈ પટેલ વિરુધ્ધ રૃ.10 લાખ અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન અરજદારો તરફે એવી રજુઆત થઈ હતી કે, 68 વર્ષીય મૃત્તક ઈશ્વરભાઈ બાટલાવાલા લુમ્સનું કારખાનું ધરાવતા હોઈ મહિને રૃ.30 હજાર આવક ધરાવતા હતા. જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવાને ધ્યાને લઈને મૃત્તકના વારસોને માસિક રૃ9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.10.91 લાખ વળતર ચુકવવા કાર ચાલક તથા માલિકને હુકમ કર્યો હતો.


Tags :