Gujarat

સિંજીવાડા પાસે આઇશરે રિક્ષાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત

By GS TEAM
10 Aug 20251 min read
સિંજીવાડા પાસે આઇશરે રિક્ષાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત

- આઇશર ચાલક સામે ફરિયાદ નોંધાઇ 

- અકસ્માતમાં એક વ્યકિતને ઇજા તાતં સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો 

નડિયાદ : માતરના સિંજીવાડા ગામ પાસે રોડ પર આઇશરે રોડ પર સામેથી આવતી એક રિક્ષાને ટક્કર મારતા શરીરને ગંભીર ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજવાની સાથે રિક્ષામાં સવારે એક વ્યક્તિને ઇજા થઇ હતી. 

આણંદના તારાપુર ગામના રાવળ ફળિયામાં રહેતા રાજુભાઈ ડાહ્યાભાઈ રાવળ અને ફળિયાના પ્રફુલભાઈ ધુળાભાઈ રાવળ ગઈકાલે બપોરના સમયે રિક્ષામાં સિંજીવાડા ગામ ખાતે કામ પતાવી ઘરેપરત જતા હતા. આ સમયે રિક્ષા પ્રફુલભાઈ ચલાવતા હતા રિક્ષા સિંજીવાડા ગામ પાસે રોડ પર પસાર થતી હતી. બેકાબૂ આઇસરે રિક્ષાને સામેથી જોરદાર ટક્કર મારી  હતી. જેને લઇ રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી જવાની સાથે રિક્ષા ચાલક પ્રફુલભાઈ અને પાછળ બેઠેલા રાજુભાઈ ઇજાગ્રસ્ત થયા હતા.બંનેને સારવાર અર્થે નજીકના તારાપુર ગામ સ્થિત સરકારી  દવાખાના ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં શરીરે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા રિક્ષા ચાલક પ્રફુલભાઈને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. લીંબાસી પોલીસેઆ અંગે આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.