Gujarat

જામનગરના લાલપુરમાં કોલેરાનો એક કેસ નોંધાયો : આજની સ્થિતિએ ગ્રામ્યમાં કુલ એક દર્દી દાખલ

By GS TEAM
3 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ લાલપુરમાં વધુ એક નોંધાયો છે. લાલપુરના 30 વર્ષના યુવાનને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેની સઘન સારવાર ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના લાલપુરમાં કોલેરાનો એક કેસ નોંધાયો : આજની સ્થિતિએ ગ્રામ્યમાં કુલ એક દર્દી દાખલ

Jamnagar : જામનગર શહેરમાં કોલેરાના કેસો નોંધાયા પછી હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આજે પણ લાલપુરમાં વધુ એક નોંધાયો છે. લાલપુરના 30 વર્ષના યુવાનને કોલેરા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેની સઘન સારવાર ચાલી રહી છે.

જામનગર ગ્રામ્ય પંથકમાં અત્યાર સુધીમાં કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયો છે, તેમાંથી 7 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે 1 દર્દી આજની સ્થિતિએ સારવારમાં  છે.

લાલપુર પંથકમાં આજે નોંધાયેલા કોલેરાના કેસને કારણે આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરીમાં આવી હતી. જેમાં 246 મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. અને 1259 ની વસ્તીને આવરી લેવામાં આવી હતી. 12 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 560 ક્લોરીનની ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. એકંદરે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ સ્થિતિ અંકુશમાં છે.