Get The App

હિન્દુ સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમનું કોઇ સ્થાન નથીઃ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
હિન્દુ સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમનું કોઇ સ્થાન નથીઃ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી 1 - image


- ભુદેવોની નગરી હળવદમાં વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાઇ

- જગતગુરૂ શંકરાચાર્યના આગમનને પગલે ભવ્યાતિભવ્ય સામૈયું સાથે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળી

હળવદ : ભુદેવોની નગરી હળવદમાં વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાઇ હતી. જગતગુરૂ શંકરાચાર્યના આગમનને પગલે ભવ્યાતિભવ્ય સામૈયું સાથે શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ તકે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. 

સનાતન હિન્દુ ધર્મ રક્ષક સમિતિ અને હળવદ ઔદીચ્ય બ્રહ્મ સમાજ દ્વારા શિશુ મંદિર ખાતે વિરાટ સનાતન હિન્દુ ધર્મ સભાનું આયોજન કરાયું હતું. જેમાં દ્વારકા શારદાપીઠના જગતગુરુ સ્વામી શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રવચનને સાંભળવા મોટી સંખ્યામાં  શહેરીજનો, સંતો-મહંતો, રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા. જગતગુરુ શંકરાચાર્યનુ પુજન અર્ચન સ્વાગત આગેવાનો અને સંત મહંતો દ્વારા કરવામાં આવ્યું હતું.

ધર્મ સભામાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી હતું કે આપણી સંસ્કૃતિ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવની છે. તેમાં વૃદ્ધાશ્રમને સ્થાન નથી. ૮૪ લાખ જન્મ લીધા પછી મનુષ્યનો અમુલ્ય દેહ મળે છે તો સત્કર્મ કરવા જોઈએ. મનુષ્ય દેહ અમુલ્ય છે. આપણે વિમાનના પાઈલોટ ઉપર ભરોસો કરીએ પણ સૃષ્ટિ ચલવનાર ઈશ્વર ઉપર ભરોસો કરતા નથી. સંસારમાં ના કોઈ વિપત્તિ છે કે ના કોઈ આપત્તિ છે. પરમાત્માને ભૂલી જવું એ જ મોટી વિપત્તિ છે અને ઈશ્વરને યાદ રાખો તે મોટી સંપત્તિ છે. શરીરમાં ઈશ્વર નિવાસ કરે તો કામ, ક્રોધ, લોભ અને મોહ દૂર થઇ જાય. આપણા દુઃખો દૂર કરવા ઈશ્વરે દશાવતાર લીધા. મનુષ્ય અવતાર લઈને પરમાત્માએ આપણને જીવન જીવતા શીખવ્યું. શ્રીરામે માતા અને પિતાની આજ્ઞાા પાળીને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ ચરિતાર્થ કરી મંત્રો અને રામાયણની ચોપાઈઓ તેમજ શ્લોકો સહીત ધામક વક્તવ્ય સાંભળીને શ્રોતાઓ અભિભૂત થયા હતા. ધર્મ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.

Tags :