જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા મહેશ કારૂભાઈ ચનુરા નામના 40 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ કારૂભાઈએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર યુવાનને દારૂ પીવાની ટેવ હતી, જેના કારણે તેને લીવરની બીમારી લાગુ પડી ગઈ હતી. અને તેની દવા પણ ચાલતી હતી. જે બીમારીથી કંટાળી જઈ આ પગલું ભરી લીધાનું પોલીસ નિવેદનમાં જણાવ્યું છે.


