Gujarat

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર

By GS TEAM
8 Jan 20262 mins read
TukuTouch Logo
બી.સી.એ. (બરોડા ક્રિકેટ એસોસિએશન) દ્વારા વર્ષ 2026-2029ના કાર્યકાળ માટેની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન તા.15 ફેબ્રુઆરી રવિવારે યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બીસીએ ચૂંટણીમાં ડિસ્કવોલિફાય કરવા તખ્તો ઘડાયો ! બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનું નોટીફિકેશન જાહેર

Baroda Cricket Association : બી.સી.એ. (બરોડા ક્રિકેટ એસોસિએશન) દ્વારા વર્ષ 2026-2029ના કાર્યકાળ માટેની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન તા.15 ફેબ્રુઆરી રવિવારે યોજાશે.

મતદાન શાસ્ત્રી બ્રિજ, નાનુભાઈ અમીન માર્ગ પર આવેલ રામબાગ ખાતે યોજાશે. ઉમેદવાર જાતે બીસીએ ઓફિસે હાજર રહી ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉમેદવારી ફોર્મ તા.12 અને 13 જાન્યુઆરીએ બપોરે 3.30 થી 5.30 દરમિયાન બી.સી.એ. ઓફિસેથી મળશે. ભરેલા ફોર્મ તા.17 અને 19 જાન્યુઆરીએ સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી જમા કરાવી શકાશે. ચૂંટણીના પરિણામો તા.16 ફેબ્રુઆરીએ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર કરાશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી તા. 20 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી કરવામાં આવશે. ઉમેદવારોએ ફરજિયાત હાજર રહેવું પડશે. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ છેલ્લી તા.21 જાન્યુઆરી અને ઉમેદવારોની યાદી તા.22મીએ સવારે 11 વાગ્યે બી.સી.એ. ઓફિસે જાહેર કરાશે.

બરોડા ક્રિકેટ એસોસિએશન, (બીસીએ)ની ચૂંટણીમાં પ્રમુખ પદે દાવેદારી રાખનાર ડો.દર્શન બેંકરે સત્તાધીશો પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉથી જાણબૂઝી ઉમેદવારી ફોર્મની ચકાસણીની તા. 20 જાન્યુઆરી રાખવામાં આવી હતી, જેથી તેમના પુત્રનું તેજ દિવસે ગોવા ખાતે લગ્ન હોવાથી તેઓ હાજર ન રહી શકે અને આપમેળે ડિસ્ક્વોલિફાય થઈ જાય. હવે ચૂંટણીના જાહેર થયેલા નોટિફિકેશનમાં 20 જાન્યુઆરીએ ઉમેદવારોને ફરજિયાત હાજર રહેવાનો નિયમ લાગુ કરાતા તેમની શંકા સાચી સાબિત થઈ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ધારાસભ્ય કે સાંસદની ચૂંટણીમાં પણ આ પ્રકારનો વ્યક્તિગત ખાર રાખીને નિયમો બનાવવામાં આવતા નથી. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શકતા જળવાઈ રહે તે જરૂરી છે અને કોઈ એક ઉમેદવારને નુકસાન પહોંચાડવા માટે નિયમો ઘડવામાં આવે તે અયોગ્ય છે. આ મુદ્દે તેઓ આવતીકાલે ચૂંટણી કમિશનરને અરજી આપી રજૂઆત કરવાના હોવાનું પણ જણાવ્યું છે.