જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ
જામનગર મહાનગર પાલિકા આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે, 31 મે રોજ 'વિશ્વ નિષેધ તમાકુ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. આ તમાકુના ઉપયોગ સાથે સંકળાયેલા સ્વાસ્થ્ય અને અન્ય જોખમોને પ્રકાશીત કરવાની તક આપે છે. અને લક્ષીત નીતીઓના અસરકારક અમલીકરણની હિમાયત કરવાની જરૂર છે.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ તમાકુનો વપરાશ ઘટાડવા માટેનો છે. આરોગ્ય કેન્દ્રનાં અધિકારીઓ/કર્મચારીઓએ સંપૂર્ણ ઉત્સાહ સાથે યોજેલી 28-શિબિર ધ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીમાં ભાગરૂપે જાહેર જનતા તથા આરોગ્ય સ્ટાફને પણ તમાકુ મુક્ત રહેવા શપથ લેવડાવ્યા હતા.
ખાસ કરીને બાળકોને તમાકુ સહિતનાં વ્યસનોથી દુર રાખવા એ આપણા સૌની જવાબદારી છે. આ સાથે જામનગર શહેરમાં જામનગર મહાનગર પાલિકાના મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ, એપીડેમીક મેડીકલ ઓફીસર, ફુડ સેફટી ઓફીસર, તથા આરોગ્ય કેન્દ્રની મેડીકલ ટીમ ધ્વારા અલગ અલગ વિસ્તારોમાં 18 વર્ષથી નીચેનાં બાળકોને તમાકુ વહેચણી કરતા વિક્રેતાઓ સામે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
જો કોઈ તમાકુ છોડવા માંગતા હોય તો તેઓ નેશનલ ટોબેકો કવિટ લાઈન નંબર 1800 112 356 પર સંપર્ક કરી ને સલાહ મેળવી શકે છે. તમાકુની આદત છોડવી મુશ્કેલ બાબત નથી. તેમાં નીકોટીન એક મજબુત ઝેરી વયસ્ન છે. કોઈપણ વ્યકિત યોગ્ય ઉપચારો વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશકિત રાખે તો તમાકુનુ વ્યસન છોડી શકે છે.