Get The App

જામનગર શહેરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી : નીચેના રોડ પર ૩ સ્ટોપ જાહેર કરાયા

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેરની મધ્યમાં બનેલા નવા ફલાય ઓવરબ્રિજ ઉપરથી એકપણ એસટીની બસો દોડશે નહી : નીચેના રોડ પર ૩ સ્ટોપ જાહેર કરાયા 1 - image

Jamnagar Flyover Bridge : જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ફલાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ એક પણ એસટી બસ નવા ફલાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. નોચે ઈન્દીરા માર્ગ થઈ એસટીનું સંચાલન કરી જૂના રાબેતા મુજબના રૂટ ઉપરથીજ એસટી બસો પસાર થશે, તે પ્રકારનો આદેશ વિભાગીય નિયામક બી.સી.જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. જે પ્રમાણે શહેરીજનોએ એસટી બસનો લાભ લેવા એસટીઆઈ જે.વી.ઈશરાણી દ્વારા જણાવાયું છે.

જામનગરના એસટી ડેપોથી રાજકોટ તરફ જનારી એસ.ટી. બસ જુના રેલ્વે સ્ટેશન (અંબર ચોકડી, તેમજ કાલાવડ તરફ જતા સાત રસ્તા ચોકડી) અને હાલાર હાઉસથી આગળ મળી કુલ 3 જગ્યાએ સ્ટોપ આપવાનું નક્કી કરાયું છે. 

જેમાં મુસાફરોને બસમાં ચડાવવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા. સુરેશ ફરસાણ માર્ટ થીઆગળ જૂના રેલ્વે સ્ટેશન તેમજ સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ મુસાફરોને ઉતારવા તેમજ ચડાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સુભાષ બ્રિજ પાસે રોડની પહોળાઈ સાંકડી હોવાથી અને બસને ઉભી રાખીએ તો ટ્રાફિકની સમાયાનો પ્રશ્ન થતાં જુના પોઈન્ટનું સ્વરૂપ રદ્દ કરવામાં આવ્યું હોવાથી ગુરુદ્વારા અને સુભાષ બ્રિઝના પોઇન્ટના બદલે રાજપાર્ક પાસે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર, વોલવો. સહિતની બસોનું આ રૂટ પર સંચાલન કરવામાં આવશે.