Gujarat
ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ
By GS TEAM
1 Apr 20261 min read

વડોદરા,ચૈત્રી પૂનમના રોજ હનુમાનજીના જન્મ દિવસની ઉજવણી માટે નીકળનારી શોભાયાત્રા માટે નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેનો અમલ શોભાયાત્રાના સમાપન સુધી રહેશે.
આવતીકાલે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રા નીકળનાર છે. ફતેપુરા મેઇન રોડ પરથી સાંજે પાંચ વાગ્યે નીકળનારી શોભાયાત્રા શહેરના અતિ સંવેદનશીલ એવા ફતેપુરા અડાણીયા પુલ, ચાંપાનેર દરવાજા,માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા થઇ રોકડનાથ મંદિરે જશે. શોભાયાત્રાના રૃટ પર સાંજના ચાર વાગ્યાથી કોઇ વાહન પાર્ક કરી શકાય નહીં. તેમજ આ રૃટ તરફ જતા રોડ પરનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.








