Get The App

રાજકોટ રેલવેનું નવું સમયપત્રક આજથી અમલી, 96 ટ્રેનનો સમય વહેલો કરાયો

Updated: Sep 30th, 2022

GS TEAM


Google News
Google News
રાજકોટ રેલવેનું નવું સમયપત્રક આજથી અમલી, 96 ટ્રેનનો સમય વહેલો કરાયો 1 - image


 ડિવિઝનની હદમાં 137 ટ્રેનોનું આવાગમન  31 ટ્રેનની સ્પીડમાં વધારો કરાતા પાંચથી માંડી પ૭ મિનિટ વહેલી ટ્રેન પહોંચશે, 87 ટ્રેનનો સમય મોડો  5 થી  43 મિનિટ સુધી મોડી પડશે 

 રાજકોટ, : રાજકોટ રેલવે ડિવિઝનનાં કાર્યક્ષેત્રમાં વિવિધ કારણોસર ટ્રેનોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલ તા.  1 લી ઓકટોબરથી નવુ સમયપત્રક અમલી બની રહયુ છે. નવા ફેરફારમાં 31 ટ્રેનોની સ્પીડમાં વધારો કરવામાં આવતા 96 ટ્રેનો જુદા જુદા સ્ટેશનો ઉપર તેના વર્તમાન સમય કરતા વહેલી પહોંચશે જયારે 16 ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

રાજકોટ રેલવે ડિવિઝનની હદમાં આશરે 137 ટ્રેનોનું આવાગમન થઈ રહયુ છે. ડિવિઝનનાં સતાવાર સુત્રોનાં જણાવ્યા મુજબ તા. 1 લીથી નવુ સમયપત્રક અમલી બની રહયુ છે તેમાં  કેટલીક ટ્રેનોનાં સમય અને સ્પીડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 31 ટ્રેનની સ્પીડમાં વધારો કરાયો છે જેનાં કારણે 96 ટ્રેન સ્ટેશન પર સમય કરતા 5 મિનિટથી માંડી 57 મિનિટ સુધી વહેલી ટ્રેન પહોંચશે તેમાં સૌરાષ્ટ્ર જનતા વાંકાનેર સ્ટેશન પર 57 મિનિટ વહેલી પહોંચશે. આ ઉપરાંત રામેશ્વર - ઓખા, સોમનાથ - અમદાવાદ, વેરાવળ - તિરૂવંતપુરમ સહિતની ટ્રેનનો સમય વહેલો કરવામાં આવ્યો છે. 

નવા સમયપત્રક મુજબ 87 ટ્રેનનો સમય મોડો થયો છે તેમાં જુદા જુદા સ્ટેશનો પર પાંચ મિનિટથી માંડી 43 મિનિટ સુધી મોડી પડશે. રાજકોટ, ઓખા, ખંભાળીયા, દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, ભકિતનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિતનાં સ્ટેશનોએ પહોંચતી ટ્રેનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ટાઈમટેબલની જાણકારી રેલવે તંત્રએ વેબસાઈટ પર અપલોડ કરી દીધી છે. દરમિયાન આજે ગાંધીનગર - મુંબઈ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેનને લીલીઝંડી વડાપ્રધાને આપી છે આ પ્રિમિયમ ટ્રેન સૌરાષ્ટ્રમાં પણ શરૂ કરવા રેલવે તંત્ર વિચારી રહયું છે. રાજકોટ - સુરેન્દ્રનગર ડબલ ટ્રેક અને ઈલેકટ્રિફિકેશનનું કામ પુરૂ થયા બાદ સૌરાષ્ટ્રને આવી પ્રિમિયમ ટ્રેનનો લાભ મળશે તેવુ રેલવે અધિકારીઓએ જણાંવ્યુ હતુ. 

Tags :