Bhavnagar

કુંભારવાડા રેલવે ફાટક ખાતે ઓવરબ્રીજ બનાવવા માંગણી

By GS Team
1 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગરના કુંભારવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજની માંગ લાંબા સમયથી ઉઠી છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા, શહેર કોંગ્રેસ પ્રમુખે સ્થાનિક આગેવાનોને વહેલીતકે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે. આ ફાટક અકસ્માતનું કેન્દ્ર બન્યું છે અને ટ્રાફિકજામથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઓવરબ્રિજ બનવાથી હજારો લોકોને રાહત મળશે અને અકસ્માતો ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડા રેલવે ફાટક ખાતે ઓવરબ્રીજ બનાવવા માંગણી

વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહી

રેલવે ફાટક છેલ્લા ઘણાં વર્ષોથી નાગરિકો માટે મોટી સમસ્યા, અકસ્માતનું કેન્દ્ર બન્યો

ભાવનગર -  શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની લાંબા સમયથી માંગ છતાં નિરાકરણ આવ્યું નથી ત્યારે આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્થાનિક આગેવાનોને વહેલીતકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રેલવે ફાટક છેલ્લા ઘણા વર્ષોથી શહેરના નાગરિકો માટે ગંભીર સમસ્યા અને અકસ્માતનું કેન્દ્ર બન્યો છે. ટ્રેનના નિકળવાના સમયે ટ્રાફિકજામના કારણે અહીંના રહીશો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આ પ્રશ્ને છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી સ્થાનિક લોકો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. અહીં અંડરબ્રિજની વ્યવસ્થા લોકો માટે પૂરતી અને અસરકારક સાબિત થઈ રહી નથી. તેથી આ સ્થળે તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવે તો કુંભારવાડા સહિત આસપાસના વિસ્તારોના હજારો લોકોને રોજિંદા અવરજવરમાં મોટી રાહત મળશે. સાથે સાથે વારંવાર બનતા અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત બનશે ત્યારે આ પ્રશ્નને ગંભીરતાથી લઈને વહેલીતકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખે સ્થાનિક આગેવોનો કરી છે.