મહિસાગર જિલ્લામાં રૃ.૧૨૩.૨૨ કરોડનું નલ સે જલ કૌભાંડ
૬૨૦ ગામમાં પાણીની પાઇપ લાઇન અને ઘરના કનેક્શનના ખોટા હિસાબી બિલ બનાવ્યા
ખાતાકીય તપાસના અહેવાલ પછી સી.આઇ.ડી.માં ગુનો દાખલ
વડોદરા,અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના ્ ગ્રામજનોેને પીવાનું પાણી ઘર આંગણે જ મળી
રહે તે માટે સરકાર દ્વારા નલ સે જલની યોજના શરૃ કરવામાં આવી હતી. પરંતુ, મહિસાગર જિલ્લાના ભ્રષ્ટ અધિકારીઓએ ખોટા બિલ અને દસ્તાવેજો બનાવી માત્ર કાગળ
પર જ કામગીરી દર્શાવી કરોડો રૃપિયા
ચાઉં કરી લીધા હતા. અંદાજે ૧૨૩.૨૨ કરોડના
કૌભાંડ અંગે વડોદરા સી.આઇ.ડી.ક્રાઇમ ઝોનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહિસાગર જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં
નલ સે જલ યોજના અંતર્ગત ૬૨૦ ગામોમાં પીવાના પાણીની પાઇપ લાઇન, કૂવા,
ટયૂબવેલ વગેરેની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી કરોડો
રૃપિયા ફાળવવામાં આવ્યા હતા. જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના વોટર સેનિટેશન એન્ડ
મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો) ના કેટલાક અધિકારી અને કર્મચારીઓએ એજન્ટ અને
ખાનગી કંપનીને લાભ થાય તે હેતુસર ગામોની
પાઇપ લાઇન,
ઘર જોડાણ તથા આનુષંગિક કામગીરીના ખોટા હિસાબો દર્શાવી
દસ્તાવેજો તૈયાર કર્યા હતા. તેઓએ સરકારને અંદાજીત ૧૨૩.૨૨કરોડનું નુકસાન કર્યુ
હતું. જે અંગે વાસ્મોેના યુનિટ મેનેજર ગિરીશભાઇ અમરિષભાઇ અગોલાએ સી.આઇ.ડી. ક્રાઇમ
વડોદરા ઝોનમાં કુલ ૧૨ આરોપીઓ સામે ફરિયાદ
નોંધાવી છે. જેમાં માત્ર એક કાયમી
કર્મચારી છે. જ્યારે અન્ય ૧૧ આરોપીઓ આઉટ સોર્સિંગના છે. જેની તપાસ ગાંધીનગર સી.આઇ.ડી.ના ઇકો સેલના
ડીવાય.એસ.પી. એ.એમ. પટેલને સોંપવામાં આવી છે.
ંકુલ ૧૨
સામે ગુનો દાખલ થયો
આરોપીનું નામ ગુના સમયે ફરજનું સ્થળ હાલની
ફરજનું સ્થળ
(૧) એ.જી.
રાજપરા તત્કાલીન યુનિટ મેનેજર, વાસ્મો, જાહેર આરોગ્ય
વર્તૃળ,
જાનગર
(૨) સન્ની
રસિકભાઇ પટેલ જિલ્લા કો. ઓર્ડિનેટર, આહવા ડાંગ
(૩) અમિત
એમ.પટેલ ઇન્ચાર્જ જિલ્લા કો.ઓર્ડિનેટર, મહીસાગર
(૪) વૈભવ
બી. સંગાણી આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ
(૫) મૌલેશકુમાર
વિનોદભાઇ હીંગુ આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ પાલનપુર
(૬) દશરથ
રામસિંહ પરમાર આસિસ્ટન્ટ ટેકનિકલ કરમસદ
(૭) ભાવિકકુમાર
નવિનભાઇ પ્રજાપતિ આસિસ્ટન્ટ ટેકનિકલ ભાવનગર
(૮) કર્મવીરસિંહ
મહેન્દ્રસિંહ સિસોદીયા મેનેજર ટેકનિકલ ડાંગ
(૯) અલ્પેશકુમાર
જ્યંતિસિંહ પરમાર આસિસ્ટન્ટ મિકેનિકલ વજેપુરા,બાયડ,
જિ.અરવલ્લી
(૧૦) સુરપાલસિંહ
બહાદુરસિંહ બારિયા આસિસ્ટન્ટ મેનેજર
ટેકનિકલ સુરેન્દ્રનગર
(૧૧) વનરાજસિંહ
લક્ષ્મણસિંહ સોઢા આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ ખેડા
(૧૨) પાર્થકુમાર
જગદીશભાઇ પટેલ આસિસ્ટન્ટ ટેકનિકલ ધનસુરા, જિ. અરવલ્લી
યુનિટ મેનેજર અને છ ટેકનિકલ આસિસ્ટન્ટ
સસ્પેન્ડ
છેતરપિંડી અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ
ગુનો દાખલ થયો
વડોદરા,
મહિસાગર જિલ્લામાં સરકારની નલ સે જલ
યોજનામાં થયેલા કરોડાના કૌભાંડની બે વર્ષથી ચાલતી ખાતાકીય તપાસનો અહેવાલ
આવ્યા પછી તત્કાલીન યુનિટ મેનેજર અને આઉટ
સોર્સિંગના ૧૧ કર્મચારીઓ વિરૃદ્ધ સી.આઇ.ડી.ક્રાઇમ વડોદરા ઝોનમાં છેતરપિંડી અને
ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી યુનિટ મેનેજર એ.જી.રાજપરા અને ૬ ટેકનિકલ
સ્ટાફ સહિત ૭ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ટેન્ડર પ્રક્રિયા વિના કોન્ટ્રાક્ટરને
બારોબાર કામ સોંપી દીધા
વડોદરા,
૭ લાખથી વધુ રકમની કામગીરી માટે ટેન્ડર
પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ, અધિકારીઓએ કોન્ટ્રાક્ટ લેનાર કંપની સાથે હાથ મિલાવીને ટેન્ડર બહાર પાડયા વગર જ
કામ સોંપી દીધું હતું. આવી કામગીરી કરીને કંપનીને ફાયદો કરાવનાર સરકારી અધિકારીઓ
અને કર્મચારીઓએ કેટલો ફાયદો લીધો ? તે અંગે પણ સી.આઇ.ડી. દ્વારા તપાસ શરૃ
કરવામાં આવી છે. આ ઉપરાંત હલકી
ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે
વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૩ સુધીના સમયમાં
સતત પાંચ વર્ષ સુધી બેફામરીતે
કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું
વડોદરા,
લુણાવાડા
તાલુકાના ચંચળ ગામે નાડ વિસ્તારમાં પાઇપ લાઇન નાંખવામાં આવી હતી. પરંતુ, ત્યાં કોઇપણ પ્રકારના જોડાણ આપવામાં આવ્યા
નહતા. ત્રણ વર્ષ પહેલા કામગીરી થઇ હોવા
છતાંય ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા હતા. મહિસાગર જિલ્લામાં નલ સે જલ
યોજનાનું કૌભાંડ જાન્યુઆરી ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૨૩ સુધી આચરવામાં આવ્યું હતું.
કેટલાક ગામોમાં એવી ગેરરીતિ બહાર આવી હતી કે,જ્યાં ૧૩
હજાર ફૂટ પાઇપ લાઇન નાંખવાનું
દર્શાવવામાં આવ્યું હતું. ત્યાં માત્ર ૪ હજાર ફૂટ જ પાઇપ નાંખવામાં આવી હતી.
જલ સે નલ કૌભાંડની એફ.આઇ.આર. અ.ધ..ધ 227 પેજની
વડોદરા,
સામાન્ય રીતે કોઇ ગુનાની એફ.આઇ.આર. થાય તો
તે એફ.આઇ.આર. ચાર કે પાંચ પેજની હોય છે. પ્રોહિબીશન અને એન.ડી.પી.એસ.ની ફરિયાદ ૮ થી
૧૦ પેજની હોય છે. પરંતુ, ગઇકાલે સી.આઇ.ડી. ક્રાઇમ વડોદરા ઝોનમાં દાખલ
થયેલી નલ સે જલ યોજનાનું કૌભાંડ એટલું મોટું છે કે, તેની એફ.આઇ.આર. 227 પેજની છે. જે ઓનલાઇન
પણ અપડેટ થઇ શકી નથી.
રૃ. ૧૩૪ કરોડ પાઇપોની ખરીદીમાં વપરાયા હતા
૬૬.૫૬ કરોડ રૃપિયા પાઇપ લાઇન ફિટ કરવાની મજૂરીનો ખર્ચ બતાવાયો હતો
ગોધરા,
મહિસાગરમાં વાસ્મોની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરતા મહીસાગરમાં નળથી
જળ અંતર્ગત ૨૫૮ કરોડનો ખર્ચ કરાયો હતો. આ
પૈકી રૃા.૧૩૪ કરોડ પાઈપ લાઈનની ખરીદી અને રૃા.૬૬.૫૬ કરોડ પાઈપલાઈન ફિટ કરવાની
મજૂરી માટે વપરાયા હતા. આ બે કામમાં જ સૌથી મોટું કૌભાંડ થયું હોવાનું વિજીલન્સના
રિપોર્ટમાં બહાર આવ્યું હતું. અધિકારી, પાણી સમિતિ અને એજન્સીઓએ એકબીજા સાથે
મેળાપીપણું કરીને પાઈપ ખરીદીના બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. મોટાભાગના ગામોમાં
જૂની લાઈન સાથે નવી લાઈન જોડી દેવાઈ છે. જે પાઇપ લાઈન નંખાઈ હતી. તે બિલમાં લખેલી
કંપની કરતા અલગ કંપનીની પાઇપો નીકળી હતી.
૧૧૧ કોન્ટ્રાક્ટર અને ૨૪ પાણી સમિતિની પણ
સંડોવણી
ભાજપ-કોંગ્રેસ ભાઈ- ભાઈ, બન્ને પક્ષના કાર્યકરોની ૧૭ એજન્સીઓનું કૈાભાંડ ં ં
ગોધરા,
નલ સે જલ કૌભાંડમાં વિજિલન્સની તપાસમાં ૧૧૧
કોન્ટ્રાક્ટર,
૨૪ પાણી સમિતિ અને ૬ અધિકારીઓ સહિત ૧૫૦ વ્યક્તિઓની સંડોવણી
બહાર આવી હતી. મહિસાગર જિલ્લામાં વાસ્મોની કામગીરી કરતી ૧૧૧ એજન્સીમાં કેટલીક
એજન્સીઓ રાજકીય પાર્ટી સાથે સંપર્ક ધરાવતી
વ્યક્તિઓની હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ભાજપના કાર્યકર અને હોદ્દેદારોની ૧૦
થી વધુ અને કોગ્રેસના કાર્યક્રરોની ૭ જેટલી એજન્સીઓ હોવાનું બહાર આવ્યું હતું. આમ
રાજકીય પાર્ટીના કાર્યકરોએ ભેગા મળી નલ સે જલ યોજનાની કામગીરી કર્યા વિના કરોડોનું
કૌભાંડ આચર્યુ હતું. આ એજન્સી પૈકી એક એજન્સી સંચાલકે તો કોગ્રેસની લુણાવાડા
વિધાનસભાની ટિકિટની માંગ કરી હતી