Get The App

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મૃતદેહને વિદેશ મોકલવા માટે ૭૦ કોફીનની વ્યવસ્થા કરશે

ફોરેન્સિક મેડીસીનના ડોકટરો અને સ્ટાફને સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ સોંપાઈ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મૃતદેહને વિદેશ મોકલવા માટે ૭૦ કોફીનની વ્યવસ્થા કરશે 1 - image 

  અમદાવાદ, શુક્રવાર,13 જુન,2025

અમદાવાદમાં ગુરુવારે પ્લેન ક્રેસ થવાની દુર્ઘટનાને પગલે મૃતદેહની ઓળખ થયા પછી તેમના સ્વજનો તેને વિદેશ લઈ જઈ શકે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ૭૦ કોફીનની વ્યવસ્થા કરશે.એર ઈન્ડિયા તરફથી પણ કોફીનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોર્પોરેશનના  ફોરેન્સિક મેડીસીનના ડોકટરો અને સ્ટાફને બે યુનિટમાં સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ સોંપાઈ છે.

એએમસી મેટ સંચાલિત નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ તથા એન.એચ.એલ.મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા એસોસિએટ પ્રોફેસર કક્ષાના ડોકટરો અને સ્ટાફને સિવિલ હોસ્પિટલ ખાતે કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે. ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ કહયુ, એએમસી ફોરેન્સિક મેડીસીનનો સ્ટાફ સિવિલ હોસ્પિટલના ડોકટરો સાથે સંકલનમાં રહી ડી.એન.એ.ટેસ્ટથી લઈ અન્ય જે કામગીરી સોંપવામાં આવશે તે કરશે.આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં શિફટ વાઈસ ૩૦થી ૪૦ ના સ્ટાફને ફરજ ઉપર મુકવામાં આવ્યા છે. કોર્પોરેશન તરફથી સાત મેડીકલ વાન મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

૨૫થી વધુ શબવાહીની  સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત કરાઈ

પ્લેન ક્રેસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓના મૃતદેહને તેમના સ્વજનો લઈ જઈ શકે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૫ શબવાહીની તથા અલગ અલગ જિલ્લાઓની ૧૦ શબવાહીની એમ  ૨૫ થી વધુ શબવાહીની સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત કરવામાં આવી છે.

Tags :