Get The App

સોમનાથ માટે મુંબઈ-કેશોદ-મુંબઈ એર ફ્લાઇટ 16 એપ્રિલથી શરૂ કરાશે

- તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-1નું કામ પૂર્ણ : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે

Updated: Apr 13th, 2022

GS TEAM

Google News
Google News
સોમનાથ માટે મુંબઈ-કેશોદ-મુંબઈ એર ફ્લાઇટ 16 એપ્રિલથી શરૂ કરાશે 1 - image


ગાંધીનગર, તા. 13 એપ્રિલ 2022 બુધવાર

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જીતુ વાઘાણીએ જણાવ્યુ કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો તારાપુર-બગોદરા સિક્સલેન હાઇવેના ફ્રેઝ-2માં રૂપિયા 651 કરોડના ખર્ચે કામ શરૂ થવાનુ છે. ફેઝ-1ના કામ પૂર્ણ થયા છે તેનું લોકાર્પણ આગામી સમયમાં મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના ભારતભરના યાત્રાળુઓને સરળતાથી દર્શન થઇ શકે તે માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા આગામી 16 એપ્રિલથી મુંબઇ-કેશોદ-મુંબઇ વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. સપ્તાહમાં મંગળ, ગુરૂ અને શનિ એમ ત્રણ દિવસીય આ વિમાની સેવાનો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવશે.

Tags :