Get The App

અનંત અંબાણીની જામનગરથી દ્વારકાની પગપાળા યાત્રા, રોજ 10-12 કિ.મી. ચાલે છે, જાણો આ યાત્રાનું કારણ

Updated: Apr 1st, 2025

GS TEAM


Google News
Google News
અનંત અંબાણીની જામનગરથી દ્વારકાની પગપાળા યાત્રા, રોજ 10-12 કિ.મી. ચાલે છે, જાણો આ યાત્રાનું કારણ 1 - image


Anant Ambani Pad Yatra :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે. આજે તેમની પદયાત્રાનો પાંચમો દિવસ છે. તેઓ રાત્રે અનેક કિલોમીટરની યાત્રા કરી રસ્તામાં અનેક મોટા મંદિરોના દર્શન પણ કરી રહ્યા છે. પદયાત્રા દરમિયાન અનંત અંબાણીએ યુવાઓને ખાસ સંદેશ આપ્યો છે.

પદયાત્રાના રૂટમાં આવતા મોટા મંદિરનો દર્શન પણ કરી રહ્યા છે અનંત અંબાણી

અનંત અંબાણી દૈનિક 10થી 12 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. અંબાણી પરિવારમાં ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રત્યે ખાસ આસ્થા છે. કોઈપણ શુભ કામ કરતાં પહેલા અંબાણી પરિવાર અચૂક મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ મહિને અનંત અંબાણીનો જન્મદિવસ પણ છે અને તે પહેલાં તેમણે જામનગરથી દ્વારકાની પદયાત્રા શરુ કરી છે. અનંત ઝેડ પ્લસ સુરક્ષા અને સ્થાનિક પોલીસની ટીમ સાથે દર રાત્રે લગભગ 10થી 12 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે, તેઓ પદયાત્રાના રૂટમાં આવતા મોટા મંદિરોના પણ દર્શન કરી રહ્યા છે.

અનંતે અત્યાર સુધીમાં 60 કિ.મી. યાત્રા પૂરી કરી

અનંતની યાત્રાને આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધીમાં તેમણે 60 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી છે. યાત્રા દરમિયાન વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળામાં ઋષિ કુમારોએ સંસ્કૃત શ્લોકનું પઠન કરી તેમનું સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી જન્મદિવસ પહેલા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા ઇચ્છે છે. તેમનો 10મી એપ્રિલે જન્મ દિવસ છે.

ભગવાનના આશીર્વાદથી મને શક્તિ મળી : અનંત

પદયાત્રા દરમિયાન અનંતે કહ્યું કે, ‘હું યુવાનોને સનાતનમાં વિશ્વાસ રાખવાનો સંદેશ આપવા માંગુ છું. ભગવાનના આશીર્વાદથી મને શક્તિ મળી છે અને હું પાંચ દિવસથી ચાલી રહ્યો છું અને આગામી પાંચ દિવસમાં દ્વારકાધીશ મંદિરે પહોંચીશ.’

‘સનાતનમાં પ્રેમ રાખવો જોઈએ’

તેમણે કહ્યું કે, ‘હું જામનગર સ્થિત મારા ઘરથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યો છું. અમારા પર આશીર્વાદ રહે અને શ્રીજી બાવા, દ્વારકાધીશની કૃપા રહે. અમે પાંચ દિવસમાં દ્વારકા પહોંચી જઈશું. હું પ્રથમવાર પદયાત્રા કરી રહ્યો છું. હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે, સૌને શક્તિ આપે. ભગવાન પ્રત્યે તમામ યુવાઓએ પ્રેમ આદર રાખવો જોઈએ. સનાતનમાં વિશ્વાસ રાખવો જોઈએ. હું યુવાઓને સંદેશ આપવા માગું છું કે, શ્રીજી બાવાના આશીર્વાદથી આગળ વધો. ભગવાન છે, તેથી ચિંતા ન કરો.’

Tags :