Gujarat

પતિ કમાતો નથી,પત્નીને નોકરી કરવા દેતો નથી,માર મારે છે..5 સંતાનનું પેટ કેવી રીતે ભરવું.. પત્નીએ ઘરછોડ્યું

By GS TEAM
31 Jul 20251 min read
પતિ કમાતો નથી,પત્નીને નોકરી કરવા દેતો નથી,માર મારે છે..5 સંતાનનું પેટ કેવી રીતે ભરવું.. પત્નીએ ઘરછોડ્યું

વડોદરાઃ પતિની સંકુચિત માનસિકતાને કારણે પાંચ સંતાનની માતાએ ઘર છોડી દેતાં તેને બચાવી લેવામાં આવી હતી.

પાંચ સંતાનની માતા અટલાદરા મંદિર પાસે રડમસ ચહેરે લાંબો સમય સુધી બેસી રહી હોવાથી એક સત્સંગીનું ધ્યાન ગયું હતું અને તેણે અભયમને જાણ કરી હતી.

જેથી મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેણે પતિના અમાનુષી ત્રાસને કારણે ઘર છોડયું હોવાનું કહ્યું હતું.મહિલાનો પતિ બીમાર હોઇ કોઇ કામ ધંધો કરતો નહતો.જેથી પાંચ પાંચ સંતાનના પેટ ભરવા મહિલા નોકરી કરતી હતી.પરંતુ પતિ તેના પર શંકા કરી માર મારતો હતો અને નોકરી છોડી દેવા કહેતો હતો.

પતિ સંતાનો પાસે કામ કરાવવા તૈયાર હતો.જેથી પતિના ત્રાસથી કંટાળીને મહિલાએ ઘર છોડયું હતું અને આપઘાતના વિચાર કરતી હોઇ તેને સંસ્થામાં આશરો અપાવ્યો હતો.