Get The App

કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
કમાટીબાગમાં રજીસ્ટ્રેશનની કામગીરીનો મોર્નિંગ વોકર્સ દ્વારા વિરોધ : વોકેથોનમાં સૂત્રોચાર સાથે જોડાયા 1 - image

Vadodara Kamati Baug : વડોદરા શહેરના કમાટીબાગ સહિત વિવિધ બાગ બગીચાઓમાં પ્રવેશ મુદ્દે શરૂ કરાયેલી રજીસ્ટ્રેશનની પ્રથા સહેલાણીઓ અને મોર્નિંગ વોકર્સ માટે માથાના દુખાવા સમાન અને ગેરકાયદે હોવાના આક્ષેપો થયા છે. બાગ બગીચામાં અસામાજિક તત્વોને રોકવાના બહાના હેઠળ શરૂ કરાયેલી કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવાની પણ માંગ ઉઠી છે. અગાઉ શહેરના વિવિધ સ્મશાનોનું સંચાલન કોન્ટ્રાક્ટર અને આપવા થયેલી કાર્યવાહી મુદ્દે પાલીકા તંત્રને મૂકેલું ચાટવાની ફરજ પડી અને સ્મશાન સંચાલન યથાવત કરવાની ફરજ પડી એવી જ રીતે બાગ બગીચા રજીસ્ટ્રેશનની કાર્યવાહીનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. શહેર મોર્નિંગ વોકર્સ દ્વારા માંગ કરાઈ હતી કે, બાગ બગીચામાં પ્રવેશ અંગે રજીસ્ટ્રેશનની કાર્યવાહી તાત્કાલિક ધોરણે બંધ કરવા પણ માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે શહેરના કમાટીબાગ સહિત વિવિધ બાગ-બગીચાઓમાં રજીસ્ટરમાં એન્ટ્રી વગર પ્રવેશ બંધીનો નિયમ લાગુ કરવાના નિર્ણય સામે આજે સવારે કમાટીબાગ મોર્નિંગ વોકર્સ અને શહેરના નાગરિકો દ્વારા મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુ જ્યારે મોર્નિંગ વોકમાં હતા ત્યારે એમને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું અને હકારાત્મક ચર્ચા કરી કે રજીસ્ટ્રેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય પ્રજા હિતમાં નહીં હોવાનું આયોજન પત્રમાં જણાવ્યું હતું.

મહારાજા સયાજીરાવ દ્વારા આ બાગને પ્રજાના આનંદ પ્રમોદ માટે લોકાર્પણ કરી ભેટ આપી છે. જેથી એમાં કોઈ પણ પ્રકારનું બંધન કે રિસ્ટ્રિક્શન યોગ્ય નહીં હોવા સહિત મ્યુ. કમિશનર અરુણ મહેશ બાબુએ સવારે નાગરિકોની વાતને સાંભળી અને આ બાબતે તાત્કાલિક ઘટતું કરવા માટે ખાત્રી આપી છે. જેથી મોર્નિંગ વોકર્સ એવી અપેક્ષા રાખી છે કે, કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય પ્રજા હિતમાં નથી તે તાત્કાલિક પાછો ખેંચે આ સાથે મોર્નિંગ વોકર્સ દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આવતીકાલે શુક્રવારે સવારે 7 વાગ્યાના સુમારે જનજાગૃતિ માટેનો કાર્યક્રમ વોકેથોન પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. મોર્નિંગ વોકર્સ દ્વારા તમાટી બાગમાં યોજાયેલી મોર્નિંગ વોકેશનમાં નરેન્દ્ર રાવત વિજય વાઘવાની રોનક પરીખ દિનેશ લીમ્બચીયા સહિત અસંખ્ય મહિલાઓ અને સિનિયર સિટીઝનો સહિત યુવાકો પણ કમાટીબાગ બચાવો વડોદરા બચાવોના બેનર હેઠળ સૂત્રોચાર કરતા જોડાયા હતા.