Gujarat

પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં

By GS TEAM
25 Oct 20251 min read
પાંચ દિવસમાં બે લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઊમટયાં

રાજપીપળા,દિવાળી વેકેશનમાં છેલ્લા પાંચ દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ૨ લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લીધી છે.

તા.૩૧ ઓકટોમ્બર ૨૦૧૮ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહીત અન્ય ૨૦ સ્થળો પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાયા બાદ દર વર્ષે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો રહે છે. આ વખતે પણ ૨૫ તારીખ સુધી સ્ટેચ્યૂ સહીત તમામ પ્રોજેકટોનું ઓનલાઇન બુકીંગ ફૂલ થઇ ગયું હતું. 

આ વખતે પ્રવાસીઓ ટેન્ટ સિટી સહિત વિવિધ સ્થળે રહેવા માટે બે ત્રણ દિવસમાં બુકીંગ કરાવ્યું હતું. સ્ટેચ્યૂ ખાતે રોજના ૪૦ હજાર પ્રવાસીઓ અને વ્યૂઇંગ ગેલેરીમાં ૫૦૦૦, જંગલ સફારી પાર્કમાં રોજના ૧૦ હજાર, ચિલ્ડ્રન પાર્કમાં રોજના ૫૦૦૦ પ્રવાસીઓ આવ્યા છે. સ્ટેચ્યૂના સીઇઓએ કહ્યું છે કે સ્ટેચ્યૂની શરૃઆતથી અત્યાર સુધીમાં ૨.૭૦ કરોડ કરતા પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઉપરાંત અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી છે. ચાલુ વર્ષે પ્રથમવાર પ્રકાશ પર્વની ઉજવણીમાં કરાયેલું લાઇટિંગ પ્રવાસીઓમાં આકર્ષણરૃપ બન્યું છે. લાઇટિંગ ટનલમાં ફરી લોકો આનંદ લઇ રહ્યા છે.