વિરમગામમાં ગંગાસર તળાવ પાસેના ૫૦થી વધુ ગેરકાયદે બાંધકામ દુર કરાયા
દબાણકારોને નોટિસ આપવા છતાં સ્વેચ્છાએ દબાણ નહીં હટાવતા તંત્રએ જેસીબી ફેરવી દીધુ
વિરમગામ
- વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા ૧૦ જૂન મંગળવારના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વચ્ચે શહેરના ગંગાસર તળાવ ભટ્ટપુલ સામે આવેલ રાજીવ નગરથી અમદાવાદ સુરેન્દ્રનગર
જોડતા બાયપાસ રોડ સુધી જવાના રસ્તાની બંને બાજુ કરવામાં આવેલા પચાસથી વધુ અડચણરૃપ
દબાણ બિનઅધિકૃત રીતે કરેલા કાચા પાકા મકાનો,
ગેરેજ, દુકાનો સહિતના બાંધકામ દૂર કરવામાં
આવ્યા હતા.
વિરમગામ
શહેરના ગંગાસર તળાવ ભટ્ટ પુલ સામેથી અમદાવાદ-સુરેન્દ્રનગર હાઇવેને જોડતા બાયપાસ
રોડની બાજુમાં છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી લઘુમતી સમાજના લોકો દ્વારા ગેરકાયદે દબાણ
કરી રહેણાકના મકાનો બનાવવામાં આવ્યા હતા. જે મામલે નગરપાલિકા તંત્ર દ્વારા મકાન
ધારકોને દબાણ હટાવવા ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ સ્વેચ્છાએ ૨૧ દિવસ પહેલાદ બાણ
હટાવવા નોટિસોની બજવણી કરી ૧૦ જૂન સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.
દબાણકારો
દ્વારા સ્વેચ્છાએ દબાણ હટાવવામાં ન આવતા પાલિકા તંત્ર દ્વારા મંગળવાર સવારથી મેગા
ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચાર જીસીબી, ટ્રેક્ટર, યુજીવીસીએલની ટીમ, ફ્રાયર બીગેડના જવાન, મજૂરો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૫૦થી વધુ રહેણાંકના મકાનો તોડી
પાડવામાં આવ્યા હતા અને ૪૫૦૦થી વધુ ચોરસ મીટર જેટલી અંદાજિત સરકારી જમીન ખુલ્લી
કરવામાં આવી હતી.
દબાણ દૂર કરવાની પૂર્વ સંધ્યા વિરમગામ
નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાના રૃટ ઉપર જરૃરી દબાણ કરતા અને મૌખિક તેમજ
લાઉડ સ્પીકર દ્વારા જરૃરી સૂચના આપવામાં આવી હતી દબાણ કરતાં દ્વારા સ્વેચ્છાએ
ઘરમાંથી રાસ રસીલું જરૃરીમાલ સમાન લઈ લીધો હતો.
કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા
મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.