Gujarat

સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

By GS TEAM
14 Nov 20251 min read
TukuTouch Logo
પાલિકાના કોર્પોરેટર ગેમર દેસાઈ અને જયેશ જરીવાલા મૃત્યુ પામ્યા હતા તેમના વારસદારોને તાત્કાલિક નોકરી મળે તો પાલિકાના કર્મચારીઓને કેમ ન મળે તેવા પ્રશ્ન સાથે રજૂઆત

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કે અનફીટ થયેલા 45 થી વધુને આશ્રિત નોકરી નથી મળી

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં ચાલુ ફરજે મૃત્યુ પામનારા કર્મચારીના વારસદારને લાંબા સમયથી આશ્રિત તરીકે નોકરી મળતી નથી પણ ચાલુ ટર્મમાં અવસાન પામેલા કોર્પોરેટરોના વારસદારોને  ઝડપથી પાલિકામાં નોકરી મળે છે. પાલિકામાં આશ્રિતની નોકરી માટે રાજકારણીઓ અને કર્મચારીઓ માટે જુદા નિયમો હોવાનું જણાવી મૃતકના આશ્રિતોને નોકરી આપવા માટેની માંગણી કરવામાં આવી છે. 

સુરત પાલિકા દ્વારા પાલિકામાં ચાલુ ફરજે મૃત્યુ પામનારા કે અનફીટ થયેલા કર્મચારીના વારસદારને આશ્રિત તરીકે નોકરી માટે ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી આશ્રિત તરીકે નોકરી આપવામાં આવતી નથી તેથી આવા પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ આ ટર્મમાં પાલિકાના કોર્પોરેટર ગેમર દેસાઈનું અવસાન થયું હતું તો થોડા જ સમયમાં તેમના પુત્રને પાલિકામાં આશ્રિત તરીકે નોકરી આપી હતી. આવી જ રીતે કોર્પોરેટર જયેશ જરીવાલાના અવસાન બાદ પણ તેમની પુત્રીને નોકરી આપવામાં આવી છે. તો રાજકાણીઓ અને કર્મચારીઓ માટે આશ્રિત નોકરી માં ભેદભાવ શા માટે આવું કહીને આજે પાલિકામાં આશ્રિતોને નોકરી મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.