ગુજરાતમાંથી વર્ષે ૧ લાખ ટનથી વધુનો ઈ-વેસ્ટ : ચાર વર્ષમાં આઠ ગણો વધારો
-ઈ વેસ્ટથી થતાં પ્રદૂષણથી કેન્સર સહિતની બિમારીનું જોખમ
-૨૦ ટકાથી પણ ઓછા ઈ-વેસ્ટનો યોગ્ય રીતે નીકાલ થાય છે : સૌથી વધુ ઈ વેસ્ટમાં ગુજરાત ટોચના ૧૦ રાજ્યોમાં
અમદાવાદ, રવિવાર
મોબાઇલ, કમ્પ્યુટર,
ચાર્જર, હેડ ફોન જેવા ઉપકરણો આજે પ્રત્યેકના જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયા છે.
જોકે, આ ઉપકરણોની આવરદા પૂરી થતાં તેનો યોગ્ય રીતે નીકાલ કરવામાં આવે નહીં તો તેનાથી
સર્જાતો ઈ-વેસ્ટ મોટું જોખમ સર્જે છે. ઈ-વેસ્ટથી થઇ રહેલા પ્રદૂષણનો સતત વધારો ચિંતાનો
વિષય છે.
સરકાર દ્વારા
રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર ત્રણ વર્ષમાં ૨૪.૯૪ લાખ ટન ઈ વેસ્ટ સામે આવ્યો છે.
જેમાંથી માત્ર ૪.૫૭ લાખ ટન ઈ વેસ્ટનો જ યોગ્ય રીતે નીકાલ કે રીસાયકલ થઇ શક્યું છે.
આમ, ૨૦ ટકાથી પણ ઈ વેસ્ટનો યોગ્ય રીતે નીકાલ થઇ શકે છે. બાકીનો ૮૦ ટકા ઈ વેસ્ટ પૃથ્વી
પ્રદૂષણના પ્રમાણમાં સતત વધારો કરે છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ૨૦૧૭-૧૮માં
૧૨૯૮.૫૬૧ ટન, ૨૦૧૮-૧૯માં ૩૧૦૬.૩૦૮૫ ટન, ૨૦૧૯-૨૦મ ૧૪૧૮૫.૫૪ ટન અને ૨૦૨૦-૨૧માં ૧૦૯૪૬૩
ટન ઈ વેસ્ટ એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
ઈ વેસ્ટના નિકાલ
માટે કાર્યરત્ એક સંસ્થાના ચિરાગ વ્યાસે જણાવ્યું કે, 'સમગ્ર દેશમાં હાલ દર વર્ષે ૨૧
લાખ મેટ્રિક ટન ઈ વેસ્ટ થાય છે, આ પ્રમાણ ૧૦ વર્ષ અગાઉ માંડ ૧ ટનની આસપાસ હતું. સમગ્ર
દેશમાંથી જ્યાં સૌથી વધુ ઈ વેસ્ટ થતું હોય
તેવા ટોચના ૧૦ રાજ્યોમાં ગુજરાત છે. આજથી થોડા વર્ષ અગાઉ અમારી પાસે સમગ્ર રાજ્યમાંથી
માંડ ૧ ટન ઈ વેસ્ટ આવતો હતો.જેની સરખામણીએ
અમદાવાદમાંથી જ હાલ અમે દર મહિને સરેરાશ ૩ ટન
ડોમેસ્ટિક ઈ વેસ્ટ એકત્ર કરીએ છીએ. અમદાવાદમાંથી દર વર્ષે સરેરાશ ૩૬ મેટ્રિક
ટન ઈ વેસ્ટ એકત્ર કરવામાં આવે છે. માત્ર ૧૮ ટકા ઈ વેસ્ટ યોગ્ય રીતે રીસાયકલ થાય છે.
ઈ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ નહીં કરવાથી પ્રદૂષણની સાથે કેન્સર સહિતની બિમારીને નોતરું
મળે છે. ઈ વેસ્ટના યોગ્ય નિકાલ માટે લોકોમાં જાગૃતિ ફેલાય તે જરૃરી છે. '
ગુજરાતમાંથી એકત્ર
થયેલું ઈ-વેસ્ટ
વર્ષ ઈ વેસ્ટ (ટનમાં)
૨૦૧૭-૧૮ ૧૨૯૮.૫૬૧
૨૦૧૮-૧૯ ૩૧૦૬.૩૦૮૫
૨૦૧૯-૨૦ ૧૪૧૮૫.૫૪
૨૦૨૦-૨૧ ૧૦૪૯૬૩.૮૦૩૨