Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બુધવારે(1 એપ્રિલ, 2026) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે અને મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આમ, ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે હેતુથી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે વિગતવાર આદેશો બહાર પાડવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો

Gujarat Local Body Election: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બુધવારે(1 એપ્રિલ, 2026) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જેમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે અને મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આમ, ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે હેતુથી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે વિગતવાર આદેશો બહાર પાડવામાં આવ્યા છે. 

આચાર સંહિતામાં શું ન કરવું, જાણો નિયમો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આદર્શ આચાર સંહિતા લાગુ

આચાર સંહિતા મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે શાસક પક્ષ અથવા સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરાત સરકારી તિજોરીના ખર્ચે કરી શકશે નહીં. કોઈપણ મંત્રી કે પદાધિકારી ચૂંટણી પ્રચાર સાથે સરકારી કામકાજ જોડી શકશે નહીં. મતદારોને રીઝવવા માટે નાણાકીય કે અન્ય પ્રલોભનો આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ કે ચર્ચનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહીં.

આચાર સંહિતા દરમિયાન કોઈપણ જાહેર સભા કે સરઘસ માટે સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. રાત્રે 10:00 થી સવારના 8:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

આ ઉપરાંત, ચૂંટણી વિષયક કામગીરી માટે સરકારી વાહનો, હેલિકોપ્ટર કે એરક્રાફ્ટનો ઉપયોગ કરી શકાશે નહીં. મંત્રીઓ તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી ફરજ પરના અધિકારીઓની બેઠક બોલાવી શકશે નહીં. આચાર સંહિતા દરમિયાન નવી યોજનાઓ, નાણાકીય ગ્રાન્ટ કે શિલાન્યાસ વિધિ કરવા પર પ્રતિબંધ છે, જેથી મતદારો પ્રભાવિત ન થાય. જોકે, કુદરતી આફતો સમયે રાહત કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીથી છૂટછાટ મળી શકે છે.

આ પણ વાંચો: VIDEO : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો

રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે, આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ 

ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ, 2026

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 

મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026