Gujarat

સુરતમાં પોલીસ સ્ટેશન નજીક કારમાંથી 5 દિવસથી ગુમ યુવકની કોહવાયેલી લાશ મળી

By GS TEAM
12 Jun 20262 mins read
TukuTouch Logo
ડાયમંડ સિટી સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક આવેલી એક સોસાયટીની બહાર પાર્ક કરેલી વેગનઆર કારમાંથી છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલા એક 28 વર્ષીય યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. કારમાંથી આવતી અસહ્ય વાસના કારણે આ ભયાનક ઘટનાનો પર્દાફાશ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં પોલીસ સ્ટેશન નજીક કારમાંથી 5 દિવસથી ગુમ યુવકની કોહવાયેલી લાશ મળી

Surat youth died News : ડાયમંડ સિટી સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને રહસ્યમય ઘટના પ્રકાશમાં આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક આવેલી એક સોસાયટીની બહાર પાર્ક કરેલી વેગનઆર કારમાંથી છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલા એક 28 વર્ષીય યુવકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે. કારમાંથી આવતી અસહ્ય વાસના કારણે આ ભયાનક ઘટનાનો પર્દાફાશ થયો છે.

બંધ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો ચોંક્યા

મળતી વિગતો અનુસાર, ઉત્રાણ પોલીસ મથકની હદમાં આવેલી ઓમકાર રેસિડેન્સીની બહાર એક વેગનઆર કાર ઘણા સમયથી પાર્ક કરેલી હતી. મોડી રાત્રે આ બંધ કારની આસપાસથી પસાર થતા લોકોને ભારે દુર્ગંધ આવી હતી. શંકાના આધારે સ્થાનિક નાગરિકોએ જ્યારે કારની અંદર નજર કરી તો તેમના હોશ ઊડી ગયા હતા, કારણ કે અંદર એક યુવકની લાશ પડી હતી. લોકોએ તાત્કાલિક આ અંગે ઉત્રાણ પોલીસને કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરી હતી.

6 જૂનથી ગુમ હતો રવિ, પરિવારમાં આક્રંદ

પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી કારનો દરવાજો ખોલી લાશને બહાર કાઢી હતી. લાશ સંપૂર્ણપણે કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત બે-ત્રણ દિવસ અગાઉ થઈ ગયું હોવાનું મનાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મળી ગઈ છે. મૃતક યુવક ઉત્રાણના જ હળપતિ વાસનો રહેવાસી 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

5 દિવસથી શોધખોળ ચાલુ હતી

પારિવારિક સૂત્રોના જણાવ્યા મુજબ રવિ ગત તારીખ 6 જૂનથી અચાનક ઘરેથી ગુમ થઈ ગયો હતો. પરિવારજનો તેની તમામ જગ્યાએ શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગતો નહોતો. પાંચ દિવસ બાદ દીકરાની આવી દર્દનાક લાશ મળતા જ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે.

હત્યા કે આત્મહત્યા? પોલીસ મૂંઝવણમાં

લાશ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી છે. આ કોઈ અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી કોઈએ રવિની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લાશને પુરાવા નાશ કરવાના ઈરાદે કારમાં છુપાવી દીધી છે? તે તમામ આશંકાઓ પર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.