Get The App

એક એક શ્વાસ લેવા ઝઝુમતી મિરઝાપરની દિકરી અસ્મિતાને પીડામાંથી મળી મુક્તિ

Updated: May 16th, 2025

GS TEAM

Google News
Google News
એક એક શ્વાસ લેવા ઝઝુમતી મિરઝાપરની દિકરી અસ્મિતાને પીડામાંથી મળી મુક્તિ 1 - image

જન્મજાત નાક બ્લોકેજની સમસ્યાને કારણે 

પાંચ દીકરીના પિતા ખર્ચને પહોંચી વળે તેમ ન હોવાથી આયષ્યમાન કાર્ડ  હેઠળ નિઃશુલ્ક ઓપરેશન અને સારવાર થઈ

ભુજ: અસ્મિતા જન્મી ત્યારે જ નાકની ખામી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. શ્વાસ લે તો પણ સીટી જેવો અવાજ આવે અને ઘણીવાર તો નાક બ્લોક થઇ જતાં મોઢાથી શ્વાસ લેવો પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હતી. પાંચ બહેનોમાં સૌથી મોટી અસ્મિતાને નાનપણમાં ખાનગી દવાખાનામાં તપાસ કરતા નાકમાં હાડકું વધતું હોવાથી નાક બંધ થઇ જવાની સમસ્યા ઉભી થતી હોવાનું નિદાન કરતા ડોક્ટરોએ જણાવ્યુંં હતું કે, દીકરી ૧૬ વર્ષની થાય પછી જ આ ઓપરેશન કરી શકાય. પરંતુ અસ્મિતા ૧૮ વર્ષની થઇ ગઇ છતાં પરિવાર ઓપરેશન કરાવવા સક્ષમ ન હોવાથી અસ્મિતાને એક એક શ્વાસ લેવો પણ દુષ્કર બની ગયો હતો. ત્યારે આ પીડામાંથીઅસ્મિતા ચારણને મુક્તિ અપાવવા માટે સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અક્સીર સાબિત થઇ  છે.

ભુજ તાલુકાના મિરઝાપર ગામની ૧૮ વર્ષની અસ્મિતા  મોહનલાલ ચારણ જણાવે છે કે,શિયાળામાં તો હું શ્વાસ  જ ન લઇ શકું તે પરિસ્થિતિ ઉભી થતી હતી. રાત્રે મારા માટે ઊંઘવું એક  અગ્નિપરીક્ષા જેવું હતું. રાતે ઠંડક થતાં જ મારું નાક બંધ થઇ જતું હોવાથી મારા માટે મીઠી નીંદર માણવી તો એક સપના સમાન બની ગયું હતું. નાનપણથી અનેક દવા કરવા છતાં ઓપરેશન કરાવવાથી જ રાહત મળે તેવી સ્થિતી હતી. પરંતુ મારા પરિવારમાં મારા પિતા જ એકમાત્ર કમાનાર હોવાથી પાંચ બહેનોનો  અભ્યાસનો ખર્ચ તથા પરિવારની જવાબદારીના કારણે મારું ઓપરેશનના ખર્ચને પહોંચી વળવો પિતા માટે મુશ્કેલ હતો. અમને હજારો રૂપિયાનો ખર્ચ ર્ કરવો પોષાય એમ ન હોવાથી ઓપરેશન કરાવવાનું અમે ટાળી રહ્યા હતા. પરંતુ એક દિવસ પરિવારના એક  સભ્ય દ્વારા સરકાર દ્વારા અમલી આયુષ્યમાન યોજના હેઠળ કાર્ડ કઢાવી તેના મારફતે મફત સારવાર કરાવી શકાય છે.

તે અંગેની માહિતી મળતા અમે આયુષ્યમાન કાર્ડ કઢાવીને ભુજના સિવિલ હોસ્પિટલમાં  તપાસ અને બાદમાં ઓપરેશન કરાવ્યુંહતું. જે સફળ રહેતા હાલ હું રાહતથી શ્વાસ લઇ શકું છું અને રાત્રે આરામથી નીંદર કરી શકું છું. મારી જિંદગીના ૧૮ વર્ષ સુધી એક એક શ્વાસ લેવા માટે મને થતી પીડાનો અંતે આયુષ્યમાન કાર્ડના કારણે અંત આવ્યો છે. 

અસ્મિતાના  પિતા મોહનલાલ જણાવે છે કે, સુથારી કામ કરીને હું પરિવારનું ગુજરાન ચલાવું છું.  પરંતુ સરકારે મારી આ જવાબદારી વહન કરીને ખરાઅર્થમાં વાલીની ભૂમિકા અદા કરી છે. તેમને રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.